SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨] દર્શન અને ચિંતન '' કવિ જાણે છે કે સ્તુત્યદેવ સર્વજ્ઞ હોવાથી પિતાનું વક્તવ્ય જાણે છે, અને તેથી તેમના પ્રત્યે કાંઈ પણ કહેવું છે તે માત્ર પુનરુક્તિ છેપિષ્ટપેષણ છે. આમ જાણવા છતાં કવિ પુનરુક્તિ અને પિષ્ટપેષણને દોષ વહેરી લે છે, તે એના હૃદયગત સાચા અનુતાપનું સુચન છે. જ્યારે હૃદયમાં ખરેખરે અનુતાપ એટલે કે ભૂલને હૂબહૂ ચિતાર ખડો થાય છે, ત્યારે માણસ પુનરુક્તિ કે પિષ્ટપેષણને દેષ વહારીને પણ પિતાનું દિલ પિતાના ભક્તિપાત્ર પ્રત્યે ખાલી કર્યા વિના રહી શકતો નથી. એ જ વસ્તુ પહેલી કડીમાં સુચિત થાય છે. 'બીજી કડી હું સરૂપ નિજ છોડી, રમે પર પુલે, ઝી ઉલટ આણી, વિષયતૃષ્ણા જળે; આસવબંધ વિભાવ, કરું રુચિ આપણું; ભૂલે મિયા વાસ, દેષ દઉં પરભણી. જીવનતત્વના આધ્યાત્મિક વિકાસક્રમમાં જે તત્ત્વ પરછાયાનો મેલ છોડી છેવટે તદન નિમળરૂપે બાકી રહે છે તે જ તત્ત્વ પારમાર્થિક સત્ય લેખાય છે અને તે જ સાષ્ય મનાયેલું છે. જે તત્ત્વ આધ્યત્મિક સાધના દ્વારા જીવનમાંથી હંમેશને માટે સરી પડે છે તે જ પર–છાયા અથવા વૈભાવિક કહેવાય છે. કવિ આધ્યાત્મિક માર્ગને પથિક છે, અને તેથી તે પોતાના જૈન પરંપરાનુસારી સંસ્કાર પ્રમાણે વિવેકથી પારમાર્થિક અને વૈભાવિક એ બે તરનો ભેદ જાણે પિતાની સ્વરૂપમ્યુતિનું વર્ણન બીજી કડીમાં કરે છે. કવિ એમ જાણે છે અને માને છે કે તે મૂળે તદન શુદ્ધસ્વરૂપી છે, પણ અકળ કળાથી અને અકળ કાળથી તે પોતાના એ સચ્ચિદાનંદ સાહજિક સ્વરૂપથી ચુત થઈ પરતત્ત્વમાં રત થયો છે અને પરને જ સ્વ માની પિતાનું સહજ ભાન ભૂલી ગયો છે. કવિ આટલા કથનથી જૈન પરંપરાને જીવ, અજીવ, આસ્ટવ અને બુધ એ ચાર તનું સૂચન કરે છે. ભારતનાં બધાં જ આત્મવાદી દર્શને આ ચાર તત્વો ઉપર જ પિતાપિતાનાં દર્શનની માંગણી કરે છે. સાંખ્યદર્શનમાં જે પ્રકૃતિ-પુરુષને વિવેક છે, તેમ જ વેદાંતમાં જે નિત્યાનિત્ય બ્રહ્મ અને માયાને વિવેક છે તે જ જૈન દર્શનમાં છવ-અજીવન વિવેક છે. આવા વિવેકને ઉદય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. આવા દર્શનથી જ આધ્યાત્મિક વિકાસક્રમમાં ચેથા ગુણસ્થાન કે જેથી ભૂમિકામાં પ્રવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy