________________
આત્મદહનું આન્સર નિરીક્ષણ
[૩૨ જનતા તે જ રૂપને વાસ્તવિક માનતી થઈ ગઈ હોય, અને તે દિવસે તે રૂપકે કથાસાહિત્યમાં અને બીજા પ્રસંગમાં વાસ્તવિકતાનાં ઊંડાં મૂળ નાખ્યાં હોય. શ્રદ્ધાળ કે પરીક્ષક બન્ને પ્રકારના ધાર્મિક તત્વોને એકસરખી રીતે સમજાય એ ભાવ પ્રસ્તુત સ્તવનમાંથી તારવે એ અહીં મુખ્ય ઉદ્દેશ છે. સ્તવનનું સામાન્ય સ્વરૂપ
પ્રસ્તુત સ્તવનમાં ચાર પાદની એક એવી સાત કડીઓ છે. સ્તવન પ્રધાનપણે વિનંતિરૂપ હોવાથી એ વાટે મુખ્યપણે કવિને ભક્તિગ ચા શ્રદ્ધાતત્વ જ વહેતું દેખાય છે. તેમ છતાં એ ભક્તિ જ્ઞાનયોગથી યા વિવેકજ્ઞાનથી શન્ય નથી. એકંદર રીતે આખું સ્તવન જ્ઞાનયોગ અને ભક્તિયેગને સુમેળ પૂરું પાડે છે, જેને જૈન પરિભાષામાં સમ્યગ્દર્શન કહેવાય. ભક્તિતત્વ પ્રધાન હોવાથી કવિના ભક્તિપ્રવણ ઉદ્ગારે ભક્તિને જ અનુરૂપ એવા લહેકાદાર ને કોમળવણે છંદમાં પ્રગટ થયા છે. ભક્તિતત્વમાં ભક્ત તેમ જ ભક્તિપાત્રનું ટ્રેત હોય તે અનિવાર્ય છે. એટલું જ નહિ, પણ તેમાં ભક્તિપાત્ર પ્રત્યે ભક્ત અતિ નમ્રભાવે–અતિ દીનભાવે, જાણે પિતાની જાતને તદ્દન ગાળી ન દેતે હોય તેવા લાઘવથી ઊભે રહી, પિતાની વીતક કથા અનુતાપયુક્ત વાણીમાં કથે છે. તેથી એ થનમાં શૌર્ય કે પરાક્રમને વ્યક્ત કરે એવા ઉદ્દીપક શબ્દો અગર છંદને સ્થાન નથી હોતું, પણ એવા આંતરિક અનુતાપવાળા ઉગારેમાં નમ્રપણું અને દીનપણું વ્યક્ત કરે એવો જ છંદ સાહજિક બને છે. કવિએ જૈન અને વૈષ્ણવ પૂર્વાચાર્યોએ વાપરેલ એવા જ છંદની પસંદગી કરી છે. એની હલક એવી છે કે જે ગાનાર યોગ્ય રીતે ગાય તે એમાંથી કવિના હૃદયમાં પ્રગટ થયેલ અનુતાપયુક્ત ભક્તિભાવ અને વિવેક એ બને, અર્થના ઊંડા વિચાર સિવાય પણ, શ્રોતાના મન ઉપર અંકિત થાય છે. દરેક પાને અંતે આવતે અનુપ્રાસ ગેય તત્વની મધુરતામાં ઉમેરે કરે છે અને શ્રોતાના મન ઉપર એ રણકારે પાડે છે કે તે ફરી ફરીને સાંભળવાની કે ગાવાની લાલચ સેવ્યા જ કરે અને એ સેવનના પુનરાવર્તનમાંથી અર્થના ઊંડાણમાં આપોઆપ સરતો જાય.
પહેલી કડી વિહરમાન ભગવાન, સુણ મુજ વિનતિ, જગતારક જગનાથ, અચ્છે ત્રિભુવનપતિ; ભાસક કાલેક, તિણે જાણે છતી, તે પણ વિતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org