________________
૩૧૮ ]
દર્શન અને ચિંતન પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણું જે માહરે,
તે પામે પ્રમોદ એહ ચેતન ખરે; થાયે શિવ પદ આશ, રાશિ સુખવંદની,
સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણ આણંદની. ૬ વળગ્યા જે પ્રભુનામ, ધામ તે ગુણતણું,
ધારે ચેતનરામ, એહ થિરવાસના; દેવચંદ્ર જિનચંદ્ર, હૃદય સ્થિર સ્થાપજો !
જિન આણયુક્ત ભક્તિ, શક્તિ મુજ આપજે! છે શ્રીમાન દેવચંદ્રજી
પ્રસ્તુત સ્તવનના કર્તા જૈન સમાજમાં ખાસ કરી વેતામ્બર સમાજમાં જાણીતા એવા શ્રીમાન દેવચંદ્રજી મહારાજ છે. તેમનું વિસ્તૃત જીવનચરિત્ર શ્રીયુત મણિલાલ પાદરાકરે લખ્યું છે અને તે શ્રી અધ્યાત્મ-જ્ઞાન–પ્રચારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયું છે. જેઓ વિશેષ વિગત જાણવા ઈચ્છતા હોય તેઓ એ પુસ્તક જોઈ લે. અહીં તે હું દેવચંદ્રજી મહારાજ વિશે બહુ ટૂંકમાં જ પતાવીશ.
તેઓનો જન્મ વિ. સ. ૧૭૪૬ માં અર્થાત ઉપાધ્યાય યશોવિજયજીના સ્વર્ગવાસ પછી તરત જ થયેલું અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૮૧૨ માં થયેલે. એટલે તેમને જીવનકાળ લગભગ ૬૬ વર્ષને હતે. દશ વર્ષ જેટલી નાની ઉમરમાં દીક્ષા લીધેલી અને આખું જીવન શાસ્ત્રાધ્યયન, ચિંતન અને સાધુસુલભ એવા ભિન્ન ભિન્ન પ્રદેશોના પરિભ્રમણના વ્યતીત કર્યું, તેમ જ તેમણે આખી જિંદગી સુધી નવી નવી રચનાઓ કરવામાં ધ્યાન આપ્યું. તેઓ જન્મ મારવાડી ઓસવાળ હતા, પણ એમણે ગુજરાત, કાઠિયાવાડ આદિ અનેક પ્રદેશમાં વિહાર કર્યો. સંસ્કૃત અને પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓ ઉપરાંત ગુજરાતી, મરાઠી અને હિન્દી ભાષામાં તેમણે જુદી જુદી કૃતિઓ રચી છે. એ બધી કૃતિઓને વિષય મુખ્યપણે એકમાત્ર જૈન પરંપરાના કહેવાય એવા જ મુદ્દા રહ્યા છે. તવજ્ઞાન અને આચાર સાથે સંબંધ ધરાવતી અનેક બાબતો એમણે ચર્ચા છે. એ ચર્ચામાં અનેક સ્થળે કથાનુયોગને ઉપગ કર્યો છે, અને આજે પૌરાણિક કહી શકાય એવી બાબતોને તેમણે વાસ્તવિક માની, એટલે કે જેમ પ્રાચીન કાળમાં સામાન્ય રીતે બધા જ લેખકે માનતા રહ્યા છે તેમ સર્વરપ્રણીત લેખી, તેની ભૂમિકા ઉપર જન તત્વજ્ઞાનને લગતા પિતાના નિરૂપણની માંગણી કરી છે. પ્રસ્તુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org