SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મદષ્ટિનું આન્સર નિરીક્ષણ [૩૧૯ સ્તવન એમની એ જનાને એક નમૂનો પૂરો પાડે છે. કર્તા આ સ્તવનમાં મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે વર્તમાન મનાતા વીસ તીર્થંકર પૈકી અગિયારમા શ્રી વજીધર સ્વામીને ઉદ્દેશી પિતાની આરજૂ-વિનંતિ ગુજારે છે. મહાવિદેહ ક્ષેત્ર અને વિહરમાન જિન છેલ્લાં ૭૫ કે ૧૦૦ વર્ષના નવયુગ પહેલાના જમાનામાં, આજે જોવામાં આવે છે તેવી, વિચારની ચાળણી અગર સંશોધનવૃત્તિ કેઈ પણ ધર્મપંથમાં ભાગ્યે જ ઉદય પામેલી. હરેક સંપ્રદાય પિતપોતની પરંપરાગત માન્યતાને મોટે ભાગે શંકા ઉઠાવ્યા સિવાય જ માની લેતે, અને એની અતિહાસિક શોધમાં ન પડત. શ્રીમાન દેવચંદ્રજી જન્મ અને કાર્યો જૈન હતા, તેથી દરેક સાંપ્રદાયિક માન્યતા તેમને હાડોહાડ વ્યાપી હેય તે તે સ્વાભાવિક છે. જૈન પરંપરાની ભૂગોળમાં મહાવિદેહ નામના ક્ષેત્રનું ખાસું સ્થાન છે. જંબદીપ ઉપરાંત બીજા ખંડમાં પણ મહાવિદેહ નામનાં ક્ષેત્રે છે, અને તે બધાં મળી પાંચ છે. મહાવિદેહ નામનાં ક્ષેત્રમાં અત્યારે વિચરતા હોય એવા વીસ જિનનું અસ્તિત્વ જૈન પરંપરા સ્વીકારે છે. એ વિદ્યમાન તીર્થકરે વિહરમાન જિન કહેવાય છે. જેને ઉદ્દેશી પ્રસ્તુત સ્તવન રચાયું છે તે વીશ પૈકી અગિયારમાં છે અને તેમનું નામ વજુંધર સ્વામી છે. વીશ વિહરમાનમાં પહેલાં જિન તરીકે “સીમધર” સ્વામીનું નામ આવે છે. આ નામ બાકીના વિહરમાનો કરતાં એટલું બધું પ્રસિદ્ધ છે કે એ ભાગ્યે જ કોઈ જૈન હશે કે જેણે સીમંધર સ્વામીનું નામ સાંભળ્યું ન હોય. એમનું પવિજયજીકૃત “સુણે ચંદાજીથી શરૂ થતું સ્તવન જેટલું ભાવવાહી છે તેટલું જ જાણીતું છે. સીમંધર સ્વામીનું નામ લેતાં જ મહાવિદેહ ક્ષેત્ર અને તેમાં વિચરતા બીજા જિનોનું કલ્પનાચિત્ર મન સમક્ષ ખડું થાય છે. સીમંધર સ્વામી અત્યંત પ્રસિદ્ધ હોઈ તેમના નામની આસપાસ અનેક ચમત્કારી વાતે તેમ જ માત્ર શ્રદ્ધાથી જ માની શકાય એવી ગૂંથણીઓ ગૂંથાયેલી છે. અને તે જૈન પરંપરાના કોઈ આ કે તે એક ફિરકામાં જ નહિ, પણ તેના દરેકેદરેક ફિરકામાં અસ્તિત્વ ધરાવે છે, અને તેવી ગૂંથણીઓના પુરાવા લગભગ પંદરસો વર્ષ જેટલા જપૂના છે જ. જેવી રીતે દિગબર પરંપરામાં આચાર્ય શ્રી કુંદકુંદના શ્રતની પ્રતિષ્ઠાને આધાર તેમના પિતાના મહાવિદેહ ક્ષેત્રમાં જવા ઉપર તેમ જ ત્યાંથી સીમંધર સ્વામી પાસેથી તે મૃત લાવવા ઉપર છે, તેવી જ રીતે આચારાંગ અને દશવૈકાલિકની બબ્બે ચૂલિકાઓની પ્રતિષ્ઠાને આધાર પણ સ્થૂલિભદ્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy