________________
૨૨૨ ]
દર્શન અને ચિંતન પ્રતિનિધિ તરીકે ભાગ્યે જ સ્થાન રહેશે. એ દષ્ટિએ વિદ્વાન અને અતિહાસિકમાં તેમની પ્રતિષ્ઠા ભાગ્યે જ બંધાશે.
શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરને કોઈ અન્તઃસ્કુરણ એવી થઈ કે તેમનું જિજ્ઞાસુ માનસ સ્થાનકવાસી ફિરકાના અલ્પમાત્ર આગમિક સાહિત્યમાં સતુષ્ટ ન રહી શક્યું. તેઓ ઈચ્છત તે સ્થાનકવાસી ફિરકે છોડી દિગબર ફિરકાને અપનાવી, તેમાં પણ પ્રતિષ્ઠા મેળવી, કાંઈક વધારે પ્રમાણમાં જિજ્ઞાસા સોશી, વિદ્યોપાસના દ્વારા વી પરંપરાનું સમર્થન કરી શક્ત; પણ મને એમ લાગે છે કે એ સૂરિના ભવ્ય અને નિર્ભય આત્મામાં કોઈ એ બનિ ઊડ્યો કે તેણે તેમને વીરપરંપરાનું અપેક્ષાકૃત અખંડ પ્રતિનિધિત્વ ધરાવનાર ફિરકા તરફ જ ધકેલ્યા, અને આપણે જોઈએ છીએ કે એમણે જિંદગીનાં
ડાં વર્ષોમાં, ખાસ કરી છેલા ભાગનાં અમુક જ વર્ષોમાં, આખું જૈન સાહિત્ય મથી નાખ્યું, તેમાંથી નવનીત તારવ્યું જે તેમના જ શબ્દોમાં વિદ્યમાન છે.
શ્વેતાંબર ફિરકે, આચાર, ઉપાસના અને શાસ્ત્રોની દષ્ટિએ બીજા બે ફિરકાઓ કરતાં વીરપરંપરાની વધારે નજીક છે એ વાતની અગર વિજયાનંદસૂરીશ્વરે સ્વીકારેલ શ્વેતામ્બરીય પરંપરાના ચડિયાતાપણાના ખ્યાલથી જે કોઈ સામ્પ્રદાયિક શ્વેતાંબર ગૃહસ્થ કે સાધુ ફુલાઈ સહેજ પણ બીજા ફિરકાઓ તરફ તુર્વ કે અવગણના પિષતી અભિમાનવૃત્તિ સેવશે તો તે સત્ય ચૂકશે કારણ કે, શ્વેતાંબર માનસ અગેક્ષાકૃત ગમે તેટલું ઉદાર રહ્યું હોય, છતાં એની વિદ્યોપાસના પણ આજકાલની દૃષ્ટિએ બહુ જ એકદેશીય અને અલ્પસંતુષ્ટ છે; એ નથી તે ઉદાર અને વ્યાપકપણે સમગ્ર બ્રાહ્મણ પરંપરા અવગાહતું કે નથી સમગ્ર બૌદ્ધ પરંપરા અવગાહતું. બેતામ્બર પરંપરાના ભૂતકાલીન ઈતિહાસ અને વર્તમાન જવાબદારીને વિચાર કરું છું ત્યારે તેના જ નહીં અને અલ્પ સંતુષ્ટ માનસને કંઈક કહેવાનું મન થઈ જાય છે. હું અત્યારના ધુરીણુ ગણાતા સમગ્ર શ્વેતાંબર આચાર્યો અને વિદ્વાનને નમ્રભાવે એટલું જ અંતમાં કહેવા ઈચ્છું છું કે શ્રીમાન આત્મારામજીએ પ્રારંભેલી અને અધૂરી મૂકેલી વિદ્યોપાસનાને વર્તમાન વિશેષ કીમતી સાધને અને સુલભ સગવડો દ્વારા લંબાવી અત્યારના ઉતતર ધરણને બંધબેસે એવી રીતે વિકસાવે.
–શ્રી આત્મારામજી શતાબ્દી ગ્રંથ, ૧૯૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org