________________
૩૦૮ ]
દર્શન અને ચિંતન ઉપાસનાનો અનૈકાનિક આગ્રહ દિગંબર પરંપરા જેટલું જ રાખવા ક્તાં મૂર્તિના સ્વરૂપ વિશે દિગંબર પરંપરાની પેઠે એકાન્તિક બની નથી. (અલબત્ત છેલ્લી શતાબ્દી કે શતાબ્દીઓમાં વેતામ્બર માનસ અને વ્યવહાર પણ પ્રત્યાઘાતી વૃત્તિ ધરાવતાં, છેક જ દિગંબર મંતવ્ય કરતાં સામી બાજુએ જતાં અને પિતાની પૂર્વપરંપરા ભૂલી જતાં દેખાય છે, એ કબૂલ કરવું જોઈએ.) બુદ્ધિ અને તર્કથી સતાં પણ એમ લાગે છે કે તદ્દન નગ્ન અને નગ્નપ્રાય–બન્ને પ્રકારની મૃતિઓ ઉપાસનાને અનુકૂળ છે, નહિ કે કોઈ એક જ પ્રકારની. તેથી મૂર્તિ સ્વરૂપ વિશેની પરાપૂર્વથી ચાલી આવતી કલ્પનાને વિચાર કરતાં અને તેને ઉપાસનાગત અનેકાન્તદષ્ટિ સાથે મેળ બેસાડતાં એમ સ્પષ્ટ લાગે છે કે એકાન્ત મન મૂર્તિને આગ્રહ રાખવામાં વીરપરંપરાનું પ્રતિનિધિત્વ ખંડિત થઈ જાય છે, કારણ કે, તે આગ્રહમાં શ્વેતામ્બરીય કલ્પનાનો સમુચિત પણ સમાવેશ થતો નથી, તેથી ઊલટું, તાંબરીય નગ્ન અને નગ્નપ્રય મૂર્તિની કલ્પનામાં દિગંબર પરંપરાની એકપક્ષીય માન્યતાને પણ રૂચિ અને અધિકારભેદે પૂર્ણ સમાવેશ થઈ જાય છે.
( ૩ ) પ્રસ્તુત પ્રશ્ન પર છેલ્લી બાબત શાસ્ત્રોની છે અને તે જ સૌથી વધારે અગત્યની છે. ત્રણે ફિરકાઓ પાસે તિપિતાનું શાસ્ત્ર-સાહિત્ય છે. સ્થાનકવાસી અને વેતાંબર-એ બે ફિરકાઓને કેટલુંક આગમિક સાહિત્ય તે, સાધારણ છે, જ્યારે એ ઉભય ફિરકામાન્ય સાધારણ આગમિક સાહિત્યને દિગમ્બર ફિરકે માનતો જ નથી. તે એમ કહે છે કે અસલી આગમિક સાહિત્ય ક્રમે ક્રમે લેખ બદ્ધ થયા પહેલાં જ અનેક કારણથી નાશ પામ્યું. આમ કહી તે સ્થાનકવાસી–વેતાંબર ઉભયમાન્ય આગમિક સાહિત્યને બહિષ્કાર કરે છે, અને તેના સ્થાનમાં તેની પિતાની પરંપરા પ્રમાણે ઈસ્વીસનના બીજા સકાથી રચાયેલા મનાતા અમુક સાહિત્યને આગમિક માની તેને અવલંબે છે. અહીં પ્રશ્ન એ છે કે જે ઈસ્વીસનના પહેલા બીજા સૈકાથી માંડી રચાયેલા ખાસ દિગંબર સાહિત્યને તે ફિરકાના આચાર્ય અને અનુયાયીઓએ જીવિત રાખ્યું તો તેમણે પોતે જ અસલી આગમ સાહિત્યને સાચવી કેમ ન રાખ્યું ? અસલી આગમ સાહિત્યના સર્વથા વિનાશક કારણોએ તે ફિરકાના નવીન અને વિવિધ વિસ્તૃત સાહિત્યનો સર્વથા વિનાશ કેમ ન કર્યો? એમ તે કહી જ નહિ શકાય કે દિગંબર ફિરકાએ જુદાં ખાસ રચેલ શાસ્ત્રોના સમય પહેલાં જ એ વિનાશક કારણો હતાં અને પછી એવાં ન રહ્યાં; કારણ કે, એમ માનવા જતાં એવી કલ્પના કરવી પડે કે વીરપરંપરાના અસલી આગમિક સાહિત્યને સર્વથા વિનાશ કરનારાં બળોએ સમાન ક્ષેત્ર અને સમાન કાળમાં હૈયાત બ્રાહ્મણ અને દ્ધ અસલી સાહિત્ય કે તે વખતે રચાતા સાહિત્ય ઉપર વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org