SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ (૩૦૭ પણે સચવાયું હોય તે તે દિગંબર ફિરકામાં નહિ, પણ શ્વેતાંબર અને સ્થાનકવાસી ફિરકામાં છે. (૨) હવે આપણે ઉપાસનાની બાબત લઈવીરપરંપરાના પ્રતિનિધિત્વને પ્રસ્તુત પ્રશ્ન ચર્ચાએ. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે વીરપરંપરાના અનેક મહત્વના અંશમાં મૂર્તિ-ઉપાસનાને પણ સ્થાન છે. આ ઉપાસનાની દૃષ્ટિએ સ્થાનકવાસી ફિરકે તે વીરપરંપરા–બહિષ્કૃત જ છે, કારણ કે તે આમિક પરંપરા, યુક્તિવાદ, આધ્યાત્મિક ગ્યતા અને અનેકાન્દષ્ટિ એ બધાનો ઈન્કાર કરી એક યા બીજા કોઈ પણ પ્રકારની મૂર્તિ–ઉપાસનામાં માનતો નથી. તેથી ઉપાસનાની બાબતમાં શ્વેતાંબર અને દિગંબર બે ફિરકા વચ્ચે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એમાં સંદેહ નથી કે દિગંબર--પરંપરાસંમત નગ્ન મૂર્તિની ઉપાસના વીતરાગવની સગુણ ઉપાસના વાતે વધારે બંધબેસતી અને નિરાબર હાઈ વધારે ઉપાદેય પણ થઈ શકે, પરંતુ આ બાબતમાં પણ દિગંબર પરંપરાનું માનસ, વિચારણે અને વ્યવહારની દૃષ્ટિએ, અકાન્તિક જ છે. શ્વેતામ્બર પરંપરાના આચાર-વિચાર અને ચાલુ પુરાતન વ્યવહારને તપાસીશું તે આપણને જણાશે કે એણે વિચારમાં કે વ્યવહારમાં નગ્ન મૂર્તિને ઉપાસનામાંથી બહિષ્કાર કર્યો જ નથી. તેથી ઘણું જૂના વખતથી અત્યારલગીના શ્વેતાંબરીય પંથની ભાલિકીનાં મંદિરે કે તીર્થોમાં નગ્ન મૂર્તિનું અસ્તિત્વ, તેનું પૂજન-અર્ચન નિર્વિરોધપણે ચાલતું આપણે જોઈએ છીએ. અલબત્ત, શ્વેતાંબર પરંપરામાં સવસ્ત્ર અને સાલંકાર મૂર્તિનું સ્થાન છે, અને જેમ જેમ બને ફિરકાઓ વચ્ચે અથડામણ વધતી ગઈ તેમ તેમ શ્વેતાંબર પરંપરામાં ઉત્તરોત્તર સવસ્ત્ર અને સાલંકાર મૂર્તિની જ પ્રતિષ્ઠા વધતી ચાલી છે; પણ મથુરામાંથી નીકળેલી શ્વેતાંબરીય આચાર્યના નામોથી અંકિત નગ્ન મૂર્તિઓ અને ત્યારપછીના અનેક સૈકાઓ દરમિયાન પણ ચાલુ રહેલી નગ્ન મૂર્તિની શ્વેતામ્બરીય પ્રતિષ્ઠાને વિચાર કરતાં એ ચેખું લાગે છે કે શ્વેતાંબર પરંપરા આધ્યાત્મિક ઉપાસનામાં નગ્ન મૂર્તિનું મૂલ્ય યથાવત આંકતી આવી છે. આથી ઊલટું, દિગંબર પંથની માલિકીનું કેઈ પણ મંદિર કે તીર્થ લો, તે તેમાં નગ્ન મૂર્તિ સિવાય સાદાં અને દિગંબરત્વની વધારે નજીક હોય એવાં નિરાડંબર વસ્ત્રાંશ ધારણની મૂર્તિને પણ અકાન્તિક બહિષ્કાર જ હશે. એ પરંપરાનાં શાસ્ત્રો પણ એકાન્તિકપણે નગ્ન મૂર્તિના જ સમર્થક હોઈ આખી દિગંબર પરંપરાનું માનસ પ્રથમથી અત્યાર લગી એક જ રીતે ઘડાયેલું છે કે જે મૂર્તિ નગ્ન ન હોય તે માનવી કે પૂજવી એગ્ય નથી, જ્યારે પ્રથમથી જ શ્વેતાંબર પરંપરાને આ વિશે વારસ ઉદાર રહેલું હોય એમ લાગે છે. તેથી એ જિનમૂર્તિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy