SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ] દર્શન અને ચિંતન ઇષ્ટ હેય તે તેમણે પિતાની જાત પરત્વે ઉચ્ચતમ આદર્શ ને વ્યવહાર રાખીને પણ સહગામી કે અનુગામી બીજા સાધકે વાસ્તે (જે મૂળગુણમાં કે મૂલાચારમાં ઐક્યમય હેય તે) વસ્ત્ર, પાત્ર આદિસ્થલ વસ્તુઓ વિશે મર્યાદિત છૂટ મૂકે જ કે; અગર મધ્યમમાર્ગી નિયમન રાખે જ કે. મનુષ્ય સ્વભાવના, અનેકાન્ત દૃષ્ટિના અને ધર્મપંથ-સમન્વયના અભ્યાસી વાસ્તે એ તત્ત્વ સમજવું સહેલું છે. જો આ દષ્ટિ ઠીક હોય તે આપણે એમ કહી શકીએ કે ભગવાન વીરે પિતાના ધર્મશાસનમાં અચેલ-ધર્મને પ્રથમ સ્થાન આપીને પણ સાથે સાથ સચેલ-ધર્મને મર્યાદિત સ્થાન આપેલું. દિગંબર પરંપરા જ્યારે ખરા મુનિની શરત તરીકે નગ્નત્વને અકાન્તિક દાવો કરે છે ત્યારે તે વીરના શાસનના એક અંશને અતિ આદર કરવા જતાં બીજા સચેલ-ધર્મના અંશને અવગણી અનેકાંતદષ્ટિને વ્યાઘાત કરે છે. તેથી ઊલટું, શ્વેતાંબર કે સ્થાનકવાસી પરંપરા સએલ–ધર્મમાં માનવા છતાં, તેનું સમર્થન અને અનુસરણ કરવા છતાં, અચેલધર્મની અવગણના, અનાદર કે ઉપેક્ષા કરતી નથી, બલ્ક તે બન્ને પરંપરાઓ દિગંબરત્વના પ્રાણરૂપ અચેલ-ધર્મનું પ્રધાનપણું સ્વીકારીને જ અધિકારીવિશેષ પરત્વે સચેલ ધર્મની પણ અગત્યતા જુએ અને સ્થાપે છે. આ ઉપરથી આપણે ત્રણે ફિરકાઓની દૃષ્ટિ તપાસીશું તે સ્પષ્ટ જણાશે કે વસ્ત્રાચારની બાબતમાં દિગંબર પરંપરા અનેકાંતદષ્ટિ સાચવી શકી નથી. જ્યારે બાકીની બે પરંપરાઓએ વિચારણામાં પણ વસ્ત્રાચાર પરત્વે અનેકાંતદૃષ્ટિ સાચવી છે અને અત્યારે પણ તેઓ તે દૃષ્ટિને જ પિષે છે. ત્રણે ફિરકાના ઉપલબ્ધ સાહિત્યમાં અતિહાસિક દૃષ્ટિએ નિર્વિવાદપણે સૌથી વધારે પ્રાચીન મનાતા શ્વેતાંબરીય અંગ સાહિત્યમાં અને તેમાંય સૌથી વધારે પ્રાચીનતાના અંશે ધરાવનાર આચારાંગ સૂત્રમાં આપણે અચેલ અને સચેલ બને ધર્મોનું વિધાન જોઈએ છીએ. આ બન્ને વિધાનમાં એક પ્રથમનું અને બીજું પછીનું છે એમ માનવાને કશે જ પુરાવો નથી; તેથી ઊલટું અચેલ અને સચેલ ધર્મનાં બને વિધાન મહાવીરકાલીન છે એમ માનવાને અનેક પુરાવાઓ છે. આચારાંગમાંના ઉપરથી વિધી દેખાતાં એ બન્ને વિધાને એકબીજાની એટલાં નજીક છે તેમ જ એકબીજાનાં એવાં પૂરક છે અને તે બન્ને વિધાને એક જ ઊંડી આધ્યાત્મિક ધૂનમાંથી એવી રીતે ફલિત થયેલાં છે કે તેમાંથી એકનો લેપ કરવા જતાં બીજાનો છેદ ઊડી જાય અને પરિણામે બન્ને વિધાનો મિયાં ઠરે. તેથી એ આચારાંગના પ્રાચીન ભાગને દૃષ્ટિએ એતિહાસિક તપાસતાં પણ હું નિર્વિવાદપણે એવા નિશ્ચય ઉપર આવ્યો છું કે અચેલ-ધર્મની બાબતમાં વીરપરંપરાનું પ્રતિનિધિત્વ જે પ્રમાણમાં વિશેષ યથાર્થપણે અને વિશેષ અખંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy