SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપર પરાનું અખંડ પ્રતિનિધિત્વ [ ૩૫ છે. જ્યાં લગી વાદવિવાદ, દાર્શનિક ચર્ચા, ઘનિક ખડન-મડન અને કલ્પનાજાળના સબંધ છે ત્યાં લગી તે અનેકાંતની ચર્ચા અને તેની પ્રતિષ્ઠા ત્રણે ક્રિકામાં એક જ સરખી ઇષ્ટ અને માન્ય છે. દા. ત. જડ કે ચેતન, સ્થૂલ કે સમ કાઈ પણ વસ્તુના સ્વરૂપના પ્રશ્ન આવે તે ત્રણે ફ્રિકાના અભિન્ન અનુયાયી ખીજા દાાનિકા સામે પોતાનું મંતવ્ય નિત્યાનિત્ય, ભેદાભેદ, એકાનેક આદિ રૂપે એક જ સરખી રીતે અનેકાંતદૃષ્ટિએ સ્થાપવાના; અથવા જગકર્તાને પ્રશ્ન આવે કે ક-પુનર્જન્મનો પ્રશ્ન આવે તોપણ ત્રણે ફ્રિકાના અભિન્ન અનુગામીએ એક જ સરખી રીતે પેાતાની અનેકાંતદૃષ્ટિ મૂકે. આ રીતે જૈનેતર દર્શના સાથેના વિચારપ્રદેશમાં વીરપર પરાના દરેક અનુગામીનું કાર્યાં અનેકાંતદૃષ્ટિની સ્થાપના પૂરતું ભિન્ન નથી, અધૂરું નથી કે એન્ડ્રુવસ્તુ પણ નથી. તેમ છતાં વીરપરંપરાના એ ત્રણે ફ્રિકામાં આચાર —ખાસ કરીને મુનિ આચાર અને તેમાંય મુનિ સંબંધી માત્ર વસ્ત્રાચારની બાબતમાં અનેકાંતષ્ટિનો ઉપયોગ કરી તપાસીશું તેા આપણને સ્પષ્ટ જણાશે કે કઈ પર્`પરામાં વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ સચવાઈ રહ્યું છે. ઉપાસના—ખાસ કરી સ્મૃતિ-ઉપાસનાને લઈ અનેકાંતષ્ટિએ તપાસીશું તેપણુ આપણને સમજાશે કે કઈ પરપરામાં અનેકાંતદષ્ટિને વારસો જાણે કે અજાણે વધારે અખંડપણે સચવાઇ રહ્યો છે. છેવટે આપણે શાસ્ત્રોના ત્રણેય ક્રિકાગત વારસાની દષ્ટિએ પણ પ્રસ્તુત પ્રશ્ન વિશે વિચારીશું, (૧) આધ્યાત્મિક વિકાસની વિવિધ ભૂમિકાને સ્પર્શ કરતા. જૈનત્વની સાધનાના સ્વતંત્ર વિચારથી તપાસતાં અગર ત્રણે ફ્રિકાના ઉપલબ્ધ સમગ્ર સાહિત્યનું એકંદર તેાલન કરતાં એ તે સ્પષ્ટ દીવા જેવું દેખાય છે કે મુનિવસ્રાચાર સંબધી સચેલ અને અચેલ બન્ને ધર્મોંમાંથી ભગવાન મહાવીર કે તેમના જેવા ઇતર મુનિઓના સમગ્ર જીવનમાં અગર તેા તેમના વનના મહત્ત્વના ભાગમાં અચેલ–ધમનું સ્થાન હતું. આ દૃષ્ટિએ નગ્નત્વ કે અચેલધર્મી, જે દિગ ંબર પરંપરાના મુખ્ય અંશ છે તે, સાચે જ ભગવાન વીરના જીવનના અને તેમની પરંપરાને પણ એક ઉપાય અંશ છે; પરંતુ પોતાના આધ્યાત્મિક સાધના–ક્ષેત્રમાં દરેક એવત્તું ખળ ધરાવતા યથાર્થ સાધકને સમાવેશવાની વીરની ઉદાર દૃષ્ટિ અગર વ્યવહારુ અનેકાંતદષ્ટિ વિચાર કરીએ, તો આપણને એ સ્પષ્ટ સમજાશે કે એ મહાવીર સર્વ સાધક અધિકારી વાસ્તે એકાન્તિક નગ્નત્વનેા આગ્રહ રાખી ધમશાસનને લેકગ્રાહ્ય પ્રચાર ઇચ્છી કે કરી ન જ શકે. તેમનાં પોતાનાં આધ્યાત્મિક અળ તે આદર્શ ગમે તેટલી પરાકાષ્ટાએ પહેોંચ્યાં હાય, છતાં તેમને જો પોતાનું ધર્મ શાસન પ્રચારવું કે ચિરજીવિત રાખવું ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy