SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ] છે. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરાનું દૃષ્ટિએ સિદ્ધ છે. તે પરંપરાને વીરપૂ પર ંપરાના ભગવાન મહાવીરે એ પૂર્વ પર પરાને જીવનમાં પચાવી, તેનુ યેાગ્ય અને સમુચિત સંશોધન, પરિવર્તન, પરિવન કરી પોતાની જીવનસાધનાને પરિણામે એને જે રૂપ આપ્યુ. તે વીરપરંપરા. આ પરંપરાની ભવ્ય ઇમારત અનેક સદંશે ઉપર ઊભી થયેલી છે અને તેને જ મળે તે અત્યારલગી એક યા બીજા રૂપમાં જીવિત છે. અહીં વિચારણીય મુદ્દો એ છે કે વીરપરંપરાના પ્રથમથી અત્યારલગીમાં જેટલા ફાંટા ઇતિહાસમાં આપણી નજરે પડે છે અને અત્યારે જે કે જેટલા કાંટા આપણી સામે છે તે બધામાં વીરપર પરાનુ પ્રતિનિધિત્વ ઓછું કે વત્તું એક યા બીજા રૂપમાં હોવા છતાં તે બધા કાંટામાંથી કયા ક્રાંટામાં કે કયા ક્િરકામાં એનું પ્રતિનિધિત્વ વધારે અખંડપણે સચવાઈ રહ્યું છે ? વીરપર‘પરાના ત્રણે ક્િરકાના શાસ્ત્રોનું તુલનાત્મક તેમ જ ઐતિહાસિક મારું' વાચન-ચિંતન અને એ ત્રણે ય ક્રિકાના ઉપલબ્ધ આચાર-વિચારાનું મારું' યથામતિ અવલેાકન મને એમ કહે છે કે વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ શ્વેતામ્બર પરપરામાં આકીની એ પરંપરાએ કરતાં વિશેષ પૂર્ણપણે અને વિશેષ યથા પણે સચવાઈ રહ્યું છે. મારા આ મંતવ્યની પુષ્ટિમાં હું અત્રે ટૂંકમાં આચાર, ઉપાસના અને શાસ્ત્ર એ ત્રણે અંશે ઉપર વિચારકાનુ ધ્યાન ખેંચીશ. ચિંતન અને દેશન અસ્તિત્વ ઐતિહાસિક નામથી ઓળખીએ. દિગંબર, શ્વેતામ્બર કે સ્થાનકવાસી કાઈ પણ ફિરકાની ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રચારના ઇતિહાસ તપાસીશું તો આપણે એમ નહિ કહી શકીએ કે અમુક ફિરકાએ વીરપરંપરાના પ્રાણુસ્વરૂપ અહિંસાના સિદ્ધાંતને માળેા કર્યો છે કે તે સિદ્ધાંતના સમર્થન અને પ્રચારમાં પોતાથી ખનતું કરવામાં જરાય મચક આપી છે. આપણે એ સગૌરવ કબૂલ કરવું જોઈ એ કે અહિંસાના સમન અને તેના વ્યાવહારિક પ્રચારમાં ત્રણે ક્રિકાના અનુયાયીઓએ પાતપાતાની ઢબે એક જ સરખા ફાળો આપ્યા છે. તેથી અહિંસા સિદ્ધાંતની દૃષ્ટિએ મારા ઉપર્યુક્ત મતવ્યનું સમર્થાંન હું નથી કરતા, પણ એ જ અહિંસા તત્ત્વના પ્રાણ અને કલેવર સ્વરૂપ અનેકાંત સિદ્ધાંતની દૃષ્ટિએ મે પ્રસ્તુત પ્રશ્નની છણાવટ કરી છે. એ તા હરકાઈ અભ્યાસી જાણે છે કે ત્રણે ક્રિકાના દરેક અનુગામી અનેકાંત કે સ્યાદ્વાદ વાસ્તે એક જ સરખુ અભિમાન, મમત્વ અને આદર ધરાવે છે. તેમ છતાં પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જોવાનું પ્રાપ્ત એ થાય છે કે એ અનેકાંતદૃષ્ટિ કયા ફિરકાના આચારામાં, ઉપાસનામાં અગર શાસ્ત્રોમાં વધારે પૂર્ણ પણે સચવાયેલી છે અગર સચવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy