________________
વિર પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ
[૯] શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરે સ્થાનકવાસીસંમત મુહપત્તિબંધન અને મૂર્તિઉત્થાપન એ બન્નેને ત્યાગ કર્યો. હું પોતે પણ એમ માનું છું કે મુહપત્તિનું એકાતિક બંધન એ વસ્તુતઃ શાસ્ત્રસંમત તેમ જ વ્યવહાર્ય નથી. એ જ રીતે એમ પણ માનું છું કે આધ્યાત્મિક વિકાસક્રમમાં અધિકારી-વિશેષ વાસ્તે મૂર્તિ-ઉપાસનાનું સમુચિત અને શાસ્ત્રીય સ્થાન છે. તેમ છતાં એ પ્રસિદ્ધ સૂરીશ્વરના સ્મારક અંકમાં એમના એ અંશની સ્મૃતિ નિમિતે આ લેખ લખી રહ્યો નથી, કારણ કે એક તે એ ચર્ચા હવે બહુ રસપ્રદ રહી નથી; તેમ જ જૈનેતર અને એતિહાસિક વાચકોને એમાંથી કાંઈ વધારે જાણવા જેવું ભળે એમ પણ આજે દેખાતું નથી. તેથી ઉપરના મથાળા નીચે હું એક એવા મુદ્દાની સંક્ષેપમાં ચર્ચા કરવા ધારું છું કે જેની સાથે ઉક્ત સૂરીશ્વરને સંબંધ પણ હતું અને જે મુદ્દો એતિહાસિક દષ્ટિએ ખાસ અગત્યને હેઈ સર્વસાધારણ વાચકે વાતે એકસરખે ઉપયોગી છે.
ધાર્મિક ભાવના જ્યારે સાંપ્રદાયિક રૂપ ધારણ કરી લે છે ત્યારે તે બહુ આળી બની જાય છે. એમાં સત્યદર્શન અને નિર્ભયતાને અંશ દબાઈ જાય છે. તેથી સાંપ્રદાયિક કે વસ્તુતઃ ધાર્મિક કોઈ એક મુદ્દાની ચર્ચા. અતિહાસિક દૃષ્ટિએ કરવા જતાં પણ, કેટલાક વાચકોના મનમાં સાંપ્રદાયિક ભાવની ગંધ આવવાનો સંભવ છે, એ મારા ધ્યાન બહાર નથી. વળી આજકાલ પ્રતિષ્ઠિત થયેલી એતિહાસિક દષ્ટિને નામે અગર તેની આડમાં સાંપ્રદાયિક ભાવનું પોષણ કરવાની પ્રવૃત્તિ વિદ્વાન કે વિચારક ગણાતા લેખકેમાં પણ જ્યાં ત્યાં દેખાય છે. એ બધાં ભયસ્થાને છતાં હું પ્રસ્તુત ચર્ચામાં ઊતરું છું તે એક જ ખાતરીથી, અને તે એ કે જેઓ અસાંપ્રદાયિક અગર સાંપ્રદાયિક ખરેખર વિચારકે હશે, જેઓ સાહિત્ય અને ઈતિહાસના અભ્યાસી હશે તેમને મારી આ ચર્ચા કદી સાંપ્રદાયિક ભાવથી રંગાયેલી નહિ જ ભાસે.
જન પરંપરા, જેને આ સ્થળે હું વીરપરંપરા કહું છું, તેના અત્યાર લગીમાં નાનામોટા ફટા-ઉપફાંટા ગમે તેટલા હેય, પણ એ બધા સંક્ષેપમાં વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી-એ ત્રણ જ ફિરકામાં આવી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org