SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ વીપર ધરાનું અખંડ પ્રતિનિધિત્વ [ ૩૦૯ શક અસર ન કરી અને કરી હોય તે! તે નામમાત્રની. આ કૅમ્પના માત્ર અસંગત જ નથી, પણ અનૈતિહાસિક સુધ્ધાં છે. ભારતવર્ષના કાઈ પણ ભાગમાં વર્તમાન કે રચાતા સાહિત્ય વિશે એવાં પક્ષપાતી વિનાશક ખળે! કચારેય ઉપસ્થિત થયાના ઇતિહાસ પ્રાપ્ત નથી થતો કે એ ખળાએ માત્ર જૈન સાહિત્યને સથા વિચ્છેદ કર્યો હોય અને બ્રાહ્મણુ તેમ જ બૌદ્ધ સાહિત્ય ઉપર દયા દાખવી હોય. આ અને આના જેવી બીજી કેટલીયે અસંગતિ આપણને એમ માનવા પ્રેરે છે કે વીરપર પરાનું અસલી સાહિત્ય ( ભલે તેના બંધારણમાં, ભાષાસ્વરૂપમાં અને વિષયચર્ચામાં કાંઈક ફેરફાર કે ઘટાડા-વધારા થયા તાય ) વસ્તુતઃ નાશ ન પામતાં અખંડ રીતે હૈયાત જ રહ્યું છે. આ દૃષ્ટિએ જોતાં એ અસલી સાહિત્યના વારસા દિગબર ફિરકા પાસે નથી, પણ શ્વેતાંબર અને સ્થાનકવાસી એ બે ફિરકા પાસે છે. સ્થાનકવાસી ફિરકેમાં કેટલુંક અસલી આમિક સાહિત્ય ધરાવે છે, પણ તે ડાળ, શાખા, પાંદડાં અને ફૂલ કે ફળ વિનાના એક મૂળ કે થડ જેવું છે અને તે મૂળ કે થર્ડ પણ તેની પાસે અખંડિત નથી. એ પણ ખરું છે કે શ્વેતાંબર પરંપરા જે આગનિક સાહિત્યને વારસો ધરાવે છે તે પ્રમાણમાં દિગંબર પરંપરાનાં સાહિત્ય કરતાં વધારે અને ખાસ અસલી છે તેમ જ સ્થાનકવાસી આગનિક સાહિત્ય કરતાં એ વિશેષ વિપુલ અને સમૃદ્ધ છે, છતાં તે અત્યારે જેટલું છે તેમાં જ બધું અસલી સાહિત્ય મૂળ રૂપમાં જ સમાઈ જાય છે એમ કહેવાને આરાય નથી. સ્થાનકવાસી ફ્રિકાએ અમુક જ આગમે! માન્ય રાખી તે સિવાયનાંને માન્ય ન રાખવાની પહેલી ભૂલ કરી. બીજી ભૂલ આગમિક સાહિત્યના અખંડિત વિકાસને અને વીરપર પરાને પોષતી નિયુક્તિ આદિ ચતુરંગીના અસ્વીકારમાં એણે ફરી અને છેવટની અક્ષમ્ય ભૂલ એ ફિરકાના મુખ્યપણે ક્રિયાકાંડના સમર્થનમાંથી ફલિત થયેલ ચિંતન-મનનના નાશમાં આવી જાય છે. જે સૈકા દરમિયાન ભારતવર્ષમાં આશ્રયજનક દાર્શનિક ચિંતન, મનન અને તાર્કિક રચનાઓ ધાધલ થતી હતી એ જમાનામાં શ્વેતામ્બર અને દિગંબર વિદ્વાનો પણ એ અસરથી મુક્ત રહી ન શકયા અને તેમણે થાડા પણ સમથ ફાળા જૈન સાહિત્યને અર્ષ્યા, તે જ જમાનામાં શરૂ થયેલ અને ચામેર વિસ્તરેલ સ્થાનકવાસી ફ્રિકાએ દાનિક ચિંતન-મનનની દિશામાં અને તાર્કિક કે બીજા કાઈ પણ યોગ્ય સાહિત્યની રચનામાં પેાતાનુ નામ નથી નોંધાવ્યું-એ વિચાર ખરેખર સ્થાનકવાસી ફિરકા માટે નીચુ જોવડાવ નાર છે. આ બધી દૃષ્ટિએ સ્થાનકવાસી ફિરકાને વીરપર પરાનું અખંડ પ્રતિ નિધિત્વ અગર તેા અપેક્ષાકૃત વિશિષ્ટ પ્રતિનિધિત્વ ધરાવનાર કહી ન શકાય. તેથી હવે બાકીના એ ફિરકા વિશે જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy