________________
૧૯૬]
દર્શન અને ચિંતન રેપ્યાં. બંનેએ સરખી રીતે ઉછેર આરંભે. ઘણી વખત વિયો. મૂળે બાઝયાં, ચડે જામ્યાં, ડાળે ટી, પલ્લવ અને પ વિસ્તર્યો. અચાનક એકથી વધારે વાર આંધી અને બીજાં પ્રાકૃતિક તફાને આવ્યાં, જેથી બંને વૃક્ષો ઉપર મૅર આવવાની ક્રિયા ધાર્યા કરતાં વધારે વખત માટે લંબાઈ નિરાશાને અને આશાને પ્રસંગ બંને જણ માટે એક જ સરખો ઉપસ્થિત થયે. જ્યારે એક જણ અત્યાર સુધીના પિતાના દીર્ઘ પ્રયાસને સર્વથા નિષ્ફળ માની કંટાળે અને અધીરજથી વૃક્ષના પિષણનું અને સંવર્ધનનું કામ છેડી દે છે, ત્યારે બીજો જણ પિતાના તેટલા જ દીર્ધ પ્રયાસને સફળ માની બૈર્યબળથી વૃક્ષના સંવર્ધનનું કામ વિધિવત ચાલુ રાખે છે. પરિણામે પહેલે જ આંબાનું ફળ પેદા નથી કરી શકતા અને બીજે કરી શકે છે.
અહીં આમ્રવૃક્ષ રેપનાર ભલે કાલ્પનિક પાત્ર હોય, પણ વિશ્વના મનુષ્યસમાજની બે માનસિક પ્રવૃતિઓ એ કાલ્પનિક પાત્રોમાં આબેહૂબ ચિત્રિત થાય છે તેની ભાગ્યે જ ના પાડી શકાશે. આ બે પ્રકૃતિએ માનવમાનસમાં છે અને તે ઊંડી કે છીછરી સમજ ઉપર રચાયેલી છે. પ્રથમ પ્રકૃતિને (છીછરી સમજવાળ) માણસ મૂળને બાઝેલું, થડને લાગેલું, ડાળોને ફૂટેલી અને પલ્લવ–પને વિસ્તરેલાં જુએ, પણ તેની નજરે હજી આમ્રનું મધુર અને પકવ ફળ નથી ચડતું. તે તે પૂર્વના મૂળ અને સ્કધથી લઈ મંજરી (ર) સુધીના બધાં પરિણામને અને તે માટેના પ્રયત્નને પકવ અને મધુર ફળથી તદ્દન જુદા જ માની બેઠો છે. તેથી તે પદે પદે ને ક્ષણે ક્ષણે પૂર્વવત અવસ્થંભાવી પરિણામ જોવા છતાં જ્યાં સુધી આમ્રફળને નથી જેતે ત્યાં સુધી પિતાના પ્રયત્નને નિષ્ફળ જ માનતે જાય છે, અને તેથી ભયાનક આફત આવતાં તે સામે તે ટકી શકતા નથી, વચ્ચે જ નિરાશ થઈ યત્ન છોડી બેસે છે. ત્યારે બીજી પ્રકૃતિને (ઊંડી સમજવાળે) માણસ મૂળમાં, સ્કધમાં, ડાળોમાં, પત્રમાં અને મંજરી આદિમાં આમ્રફળના ક્રમિક અંશે જુએ છે. એવી સૂક્ષ્મદષ્ટિમાં આમ્રફળ એ બીજું કાંઈ જ નહિ, પણ પૂર્વવતી સમગ્ર પરિણામોને સરવાળે. એમાંના જે પરિણામ આણવા સુધી પ્રયત્ન થયે હેય તેટલું આમ્રફળ તેની દૃષ્ટિએ થયેલું જ છે. આ કારણથી તેની સમદષ્ટિ તેને ભયાનક આફતો સામે ઊભો રાખે છે, અને તેને કોઈ કારણસર વચ્ચેથી વૃક્ષ સંવર્ધનનું કામ છોડવું પડે તે, ભારે પ્રયત્ન નિષ્ફળ ગયે એવી ઊલટી સમજથી, તેને તે દૃષ્ટિ બચાવી લે છે. તે માણસ તેવી સૂક્ષ્મદષ્ટિને લીધે એમ દઢપણે માનતા હોય છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org