SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ રહ૫ ભગવાનના આ કથનને સાર એ છે કે દરેક માણસ આરંભેલ પ્રયત્નને વચ્ચેથી ન છોડે; કારણ કે, દેખી શકાય તેવું ધારેલ સ્થૂળ ફળ તો લાંબા પ્રયત્નને અંતે જ પ્રાપ્ત થાય છે, પણ પ્રયત્ન ચાલતું હોય ત્યારે એટલે જેટલે અંશે પ્રયત્ન સિદ્ધ થયે હેય તેટલે તેટલે અંશે ફળની પ્રાપ્તિ પણ થયેલી છે. આ માત્ર આશાવાદ નથી, પણ ઊંડું અને ખરું સત્ય છે. આ સત્ય ધ્યાનમાં ન હોય તે પરમાર્થ કે વ્યવહારમાં ક્યાંય પ્રયત્ન સ્થિર ચાલી ન શકે. તેથી ભગવાને નિશ્ચય અને અને વ્યવહાર બંને દષ્ટિએ ધ્યાનમાં રાખવાને અનેકાન્ત ઉપદેશ આપે, અને જમાલિના મતને વિરોધ કર્યો. દાન અને તે દ્વારા સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ ભગવાનને સિદ્ધાન્ત “રેમાળે જશે” ને છે. જે કામ કરવામાં આવતું હોય, જે હજી ચાલુ હય, જેનું છેવટનું ફળ ન આવ્યું હેય, અર્થાત જે પૂર્ણ ન થયું હોય તેને પણ થયું કહી શકાય, તેને પણ સફળ લેખી શકાય. આ “કાળે વહે” ને ભાવે છે. એ સિદ્ધાન્ત પ્રયત્ન અને ફળ વચ્ચે ભેદ નથી સ્વીકારતા, તેથી એ સિદ્ધાન્ત પ્રમાણે કોઈ પણ પ્રયત્નના આરંભના પ્રથમ ક્ષણથી તે પ્રયત્નના સમાપ્તિના છેલ્લા ક્ષણ સુધીની અખિલ પ્રયત્નધારા એ જ ફળ છે; અને નહિ કે પ્રયત્નને અન્ત તેનાથી નિષ્પન્ન થતું માત્ર જુદું જ ફળ. પણ જમાલિને વાદ એથી જુદો હતો. તે કહે કે જાણે કે નહિ, પણ રહે છે, એટલે કે જે કામ ચાલુ હોય તેને કરાયું કે સફળ ન જ કહી શકાય, પણ જ્યારે તે કામ સમાપ્ત થાય, તેનું છેવટનું ફળ આવે ત્યારે જ અને તે જ તે કામ કરાયું અર્થાત્ સફળ થયું કહી શકાય. આ વાદ પ્રયત્ન અનેક ળન ભેદ સ્વીકારે છે. તેથી એ મુજબ કોઈ પણ કામના પ્રારંભથી તેની સમાપ્તિ સુધીને જે પ્રયત્ન એ સાધન છે, અને તેને અંતે નિષ્પન્ન થનારું તેનું છેવટનું ફળ એ તે સાધનથી તદ્દન જુદુ છે. ભગવાનને જમાલિને વાદ કબૂલ છે, પણ તે એક જ દષ્ટિએ. તે દૃષ્ટિ એટલે વ્યવહાર. જ્યારે જમાલિને માત્ર વ્યવહારદષ્ટિજ કબૂલ છે, અને ભગવાનની બીજી નિશ્રયદષ્ટિ કબૂલ નથી. એટલે બંને વચ્ચે એકાન્ત-અનેકાન્તનું અંતર છે. આ અખ્તર જીવનમાં ઊતરે તે પરિણામ શું આવે તે એક દૃષ્ટાન્તથી તપાસીએ. કોઈ બે જણે ફળ પેદા કરવાની ઈરછાથી જુદા જુદા આંબાનાં વૃક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy