SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન *. મહાવીરનું કથન હતું કે વ્યવહાર અને નિશ્ચય એ બંને દષ્ટિને આધારે જ કઈ પણ માન્યતા સ્થિર કરવામાં આવે અગર કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તે જ સર્વત્ર સમાધાન અને વ્યવસ્થા રહી શકે. જે નિશ્ચય વિનાની કેવળ વ્યવહારદૃષ્ટિનું અનુસરણ કરવામાં આવે તે ભેદ તથા વિરુદ્ધબુદ્ધિ વધારે કેળવાય અને ટૂંકી દૃષ્ટિને લીધે હૈયે જલદી ખૂટી જવાથી લક્ષ્ય સુધી ન જ પહોંચી શકાય. તેવી રીતે વ્યવહાર વિનાની કેવળ નિશ્ચયર્દષ્ટિને ખરા અર્થમાં અનુસરવામાં આવે છે, જેને કાંઈ નુકસાન ન જ થાય, પણ તેવી નિશ્રયદષ્ટિને અનુસરનાર મળે કોણ? એકાદ વ્યક્તિ ભલે તેવી હૈય, પણ તેથી સામુદાયિક હિતની સંભાવના ઘણી જ ઓછી રહે છે. મેટે ભાગે તેવી દષ્ટિના નામ નીચે દંભ જ ચાલવા માંડે છે. તેથી નિશ્રયદષ્ટિને ધ્યાનમાં રાખી વ્યવહારદષ્ટિને અનુસરવામાં જ ક્રમિક વિકાસનો વધારે સંભવ છે. | મહાવીરના અનેકાન્તવાળું ઉપયુક્ત ધ્યેય સમજી લીધા પછી જમાલિના મતને તેઓએ શા સારુ વિરોધ કર્યો એ વાત ધ્યાનમાં આવી શકશે. ભગવાને અનુભવથી જોયું કે સાધારણ જનસ્વભાવ ધીરજ વિનાને અગર ઓછી ધીરજવાળો હોય છે. તેથી દરેક માણસ કોઈ પણ પ્રયત્ન શરૂ કરી તેનું ફળ તરત ઈચ્છે છે. તે માટે આપ જોઈ તે ભોગ આપવા તે તૈયાર નથી હોત. ઘણીવાર તે ફલપ્રાપ્તિ નજીક આવ્યા છતાં અધીરજને લીધે એકાદ નાની મોટી મુશ્કેલી આવતાં તે મોટેભાગે સિદ્ધ થયેલ પ્રયત્નને પણ નિરાશ થઈ છેડી દે છે, અને નિષ્ફળતા મળતાં પિતાની ધીરજની ઊણપને ન જોતાં તે બહારની મુશ્કેલીઓને તરછોડે છે, તેના ઉપર કંટાળે લાવે છે, કેટલાક લેકેને પિતાના પ્રયત્નોમાં વિક્ષેપ નાખનાર ગણી તેની સાથે દુશ્મનાવટ બાંધે છે અને આ રીતે માનસિક ભૂમિકા મલિન કરી મૂકે છે. જેમ દુન્યવી કામમાં તેમ પારમાર્થિક માર્ગમાં પણ અધીરજથી ઘણાયે પાબ હઠ છે. ' કઈ સાધક અમુક વખત સાધના કર્યા બાદ ઈન્ટ પ્રમાણમાં ફળ ન મળતાં નિરાશ થઈ તરત જ તે સાધના છેડી બેસે છે અને નિરાશ થઈ આડે રસ્તે દેરાય છે. ઘણું ભિક્ષુઓ, ઘણા તપસ્વીઓ એ જ કારણથી અડધે માર્ગે જઈ નીચે પડ્યાના દાખલા આપણે ક્યાં નથી જાણતા ? સામાજિક અને રાજકીય પ્રયત્ન પણ ઘણીવાર અધૂરા રહી જાય છે. તેનું એ જ કારણે છે? એ વાત લક્ષમાં રાખી ભગવાને કહ્યું કે કામ ચાલુ હોય; જેને પ્રયત્ન હજી ચાલતા જ હોય તે કામ પણ કરાયું એમ કહી શકાયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy