________________
ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય
[ રહ૭ યથાવિધિ પ્રયત્ન એ જ ફળ છે અને જેટલા પ્રમાણમાં પ્રયત્ન સેવ્ય તેટલા પ્રમાણમાં ફળ આવેલું જ છે. પર્વ અને મધુરરસયુક્ત ફળને સરવાળે પૂર્ણ કરવા જેટલા અંકે બાકી રહ્યા છે તેટલું જ તે ફળ બાકી છે, બીજું સિદ્ધ થઈ ગયું છે. આ માન્યતાને લીધે તે માણસ ફરી પ્રયત્નની તક શોધે છે અને પરિણામે તક મળે છે, તેમ જ ભાવના પ્રમાણે સંપૂર્ણ ફળને અધિકારી તે થાય છે.
આ અધિકારી જ ભગવાનના સિદ્ધાન્તનું તત્ત્વ છવનમાં ઉતારનાર હોય છે. માળે ડેના સિદ્ધાન્તમાં જે વસ્તુ સચવાઈ છે તે જ વસ્તુ બીજા રૂપમાં અને બીજા શબ્દોમાં ગીતામાં ગવાઈ છે. એને બીજો અધ્યાય વાંચે. તેમાં કહ્યું છે કે કર્મવેગમાં પ્રારંભેલ પ્રયત્નને નાશ નથી, તેમાં પ્રત્યવાય (અન્તરાય) પણ નથી. કર્મયોગ-ધર્મનું ડું પણ આચરણ તેના આચરનારને મહાન ભયથી બચાવી લે છે.
કર્મ પર જ (પ્રયત્ન પર જ) તારે અધિકાર છે. ફળ ઉપર કદીયે નથી, માટે પ્રયત્નફળજન્ય તૃષ્ણાનું તું નિમિત્ત ન થા, તેમ જ અકર્મ ( કર્મચાગ) પણ ન સેવ.
Rafમમતાશોતિ કરવા = વાતે स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥ ४० ॥ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते संगोस्त्वमणि ॥ ४१ ॥
ગીતાના કેટલાક સૂક્ષ્મ ભાવને જૈનદષ્ટિ સાથે સમીકરણ અથવા જૈનદષ્ટિએ ઉદ્દઘાટન કરવું એ માર્ગ અત્યારના એકદેશીય સાંપ્રદાયિક અભ્યાસીઓને ન ન લાગે તે માટે ઉ. યશોવિજયજીની સામ્પ્રદાયિક છતાં ગીતા આદિના સમન્વયવાળી અધ્યાત્મસાર, જ્ઞાનસાર આદિ કૃતિઓ તરફ વાચકેનું લક્ષ્ય ખેચી વિરમીશ.
– જૈનયુગ, ચૈત્ર ૧૯૮૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org