SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત સુખલાલજી कोई मिल जाता है उसीका अभिनन्दन करना चाहिये।" વિદ્વત્તાનું બહુમાન છેલ્લાં દસ વર્ષમાં પંડિતજીની વિદ્વત્તાનું નીચે મુજબ બહુમાન થયું છે – - સને ૧૯૪૭માં, જેન સાહિત્યની નેધપાત્ર સેવા બજાવવા બદલ, ભાવનગરની શ્રી. યશોવિજ્ય જૈન ગ્રંથમાલા તરફથી શ્રોવિજ્યધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક (પ્રથમ) અર્પણ થયે. સને ૧૯૫૧માં તેઓ ઐલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના લખનૌ મુકામે મળેલ મા અધિવેશનમાં જેન અને પ્રાકૃત વિભાગના અધ્યક્ષ થયા. - સને ૧૯૫૫માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાની સ્ત્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળામાં “અધ્યાત્મવિચારણ” સંબંધી ત્રણ વ્યાખ્યાને આપ્યાં, સને ૧૯૫૬માં વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ તરફથી, દર્શન અને આધ્યાત્મિક ગ્રંથો રચીને હિન્દી ભાષાની સેવા કરવાના બદલામાં, રૂા. ૧૫૦૧)ને મહાત્મા ગાંધી પુરસ્કાર (પાંચ) મળે. (ચોથે પુરસ્કાર પૂ. વિનોબાજીને મળ્યો હતે.) સને ૧૯૫૭માં મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી મહારાજા સયાજીરાવ ઓનરેરિયમ લેકચર્સમાં “ભારતીય તત્ત્વવિદ્યા' ઉપર પાંચ વ્યાખ્યાને આપ્યાં. સને ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીએ ડોકટર ઓફ લેટર્સ (D, Litt.)ની માનદ ડિગ્રી આપવાને નિર્ણય કર્યો. સને ૧૯૫૭માં, અખિલ ભારતીય ધેરણે રચાયેલ “પંડિત સુખલાલજી સન્માન સમિતિ દ્વારા, મુંબઈમાં પંડિતજીનું જાહેર સન્માન કરીને એમને સન્માનથેલી અર્પણ કરવામાં આવી, અને એમના લેખસંગ્રહ (બે ગુજરાતી અને એક હિન્દી એમ ત્રણ ગ્રંથ)નું પ્રકાશન જાહેર કરવામાં આવ્યું. સાહિત્ય-સર્જન પંડિતજીએ સંપાદિત, સંશોધિત, અનૂદિત અને વિચિત કરેલા ગ્રંથની યાદી નીચે મુજબ છે – (૧) આત્માનુશાસ્તિક્લક ઃ (પૂર્વાચાર્યકૃત) મૂળ પ્રાત: ગુજરાતી અનુવાદ (ઈ. સ. ૧૯૧૪-૧૫). [૩૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy