SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ટૂંક પરિચય અને ક્યારેક એનું વર્ણન કરવા બેસે તે સાંભળનાર ન માની શકે કે આ કહેનાર વ્યક્તિ ચક્ષુહીન છે. એમના હૃદયનાં દ્વાર સદા ખુલ્લા હેય છે. એટલે તેઓ અનેક ભાઈ-બહેનેના મિત્ર, મુરબ્બી કે પિતા તરીકેનું સ્થાન ભોગવે છે. ગાંધીજી પ્રત્યે પંડિતજીને ખૂબ ભક્તિ છે, અને એમની રાષ્ટ્રનિર્માણની બધી પ્રવૃત્તિઓ તેમજ પૂ. વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિમાં તેઓ ખૂબ આદર અને શ્રદ્ધા ધરાવે છે. પોતાની લાચાર સ્થિતિના કારણે પોતે આવી રચનાત્મક પ્રવૃત્તિમાં સીધેસીધે ભાગ લઈ નથી શક્તા એનું એમને દુઃખ લાગ્યા કરે છે. ગુજરાતના ભૂદાનકાર્ય કરીએ તે પંડિતજીને પિતાના જ બનાવી દીધા છે. પૂજ્ય રવિશંકર મહારાજ પ્રત્યે તે આદર હેય જ; પણ “જુના પૂગાથા ગુણિપુર રહિ વયઃ” એ વચન મુજબ મો. નારાયણ દેસાઈ જેવા નવયુવકોની સેવાપ્રવૃત્તિ પ્રત્યે પણ આદર અને ભકિત વ્યક્ત કરતાં પંડિતજીને સંકોચ થતો નથી. પ્રવૃત્તિપરાયણ નિવૃત્તિ બનારસથી નિવૃત્ત થઈને પંડિતજી મુંબઈમાં ભારતીય વિદ્યા ભવનમાં માનદ અધ્યાપક તરીકે જોડાયા. પણ મુંબઈને વસવાટ પંડિતજીને બહુ ફાવ્યું નહીં, એટલે ત્યાંથી છેડે વખત બનારસ જઈ આવી, સને ૧૯૪૭થી તેઓ અમદાવાદની ગુજરાત વિદ્યાસભાને શ્રો. જે. જે. વિદ્યાભવનના માનદ અધ્યાપક તરીકે કામ કરે છે, અને અમદાવાદમાં કાયમી વસવાટ કરીને રહે છે. આમ તે પંડિતજી અત્યારે નિવૃત્ત ગણાય છે; પણ એમને આ નિવૃત્તિ. કાળ એમના પ્રવૃત્તિકાળ કરતાં જરાય ઓછો ઊતરે એવું નથી. વિદ્યાની પ્રવૃત્તિ તે આજે, ૭૭ વર્ષની ઉંમરે પણ, અખંડ ધારાએ ચાલ્યા જ કરે છે; અને જાણે કોઈ પ્રાચીન ઋષિઆશ્રમના કુલપતિ હોય એમ અનેક વિદ્યાર્થીઓ, અધ્યાપક અને વિદ્વાને એમનું માર્ગદર્શન મળ્યા જ કરે છે. પિતાની પાસે જે કઈ આવે એને કંઈક ને કંઈક આપી છૂટીને માનવતા પ્રત્યેનું પિતાનું ઋણ અદા કરવા પંડિતજી સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં (તા. ૧૬-૨-પ૭ના રેજ) ગુજરાતના યુવાન ભૂદાનકાર્યકર શ્રી. સૂર્યકાંત પરીખ ઉપર પત્ર લખતાં પૂ. વિનોબાજીએ પંડિતજી માટે સાચું જ કહ્યું છે કે – " पं. सुखलालजीकी आपको विचारशोधनमें मदद मिलती है यह जानकर मुझे खुशी हुई। मदद देनेको तो वे बैठे ही हैं। मदद लेनेवाला [૨૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy