SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત સુખલાલજી - ગમે છે. પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે કે માનવ માનવ વચ્ચે ઊંચ-નીચપણાની ભાવનાનું પોષણ કરતી સામાજિક વિષમતા જોઈને એમનો આત્મા કકળી ઊઠે છે. જે ધર્મે જનતાને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વહેમમાંથી મુક્તિ અપાવવા માટે ઝુંબેશ ચલાવી હતી તે જ ધર્મ કે એનાં શાસ્ત્રોને નામે એ બધા પ્રગતિરાધક દુર્ગણોનું પોષણ થતું જોઈને પંડિતજીને પુણ્યપ્રકેપ જાગી ઊઠે છે અને તેઓ બેલી ઊઠે છે કે આ તે કક્ષાક્ષેત્રે કાર્યરત–જેવું થઈ રહ્યું છે! જ્ઞાનને હેતુ સત્યનું શોધન અને ક્રિયાને હેતુ જીવનધન એટલે કે અહિંસાનું પાલન છે. એટલે શાસ્ત્રને નામે અંધશ્રદ્ધા કે અજ્ઞાનનું અને ક્રિયાને નામે જડતાનું પિષણ થતું જોઈ પંડિતજી એને ઉગ્ર વિરોધ કર્યા વગર રહી શકતા નથી. પરિણામે તેઓ જુનવાણું કે રૂઢિચુસ્ત વર્ગમાં આકરી ટીકાને પાત્ર થાય છે. જ્ઞાન-સાધનાને સફળ કરવા તેઓ સત્યને સંપ્રદાયથી મહાન માને છે; અને સાંપ્રદાયિક કદાગ્રહ કે મેહને કદી વશ થતાં નથી. બુદ્ધિના વિકાસ કે હૃદયની વિશાળતાને રૂંધે એવી કોઈ પણ વાતનું એમને મન કશું જ મૂલ્ય નથી. આ રીતે પંડિતજી કાતિપ્રિય હાઈ પ્રગતિશીલતા તરફ જ એમનું મન ઢળે છે; અને જ્યાં ક્યાંય પણ અન્યાય કે દમન જુએ છે ત્યાં એ ઊકળી ઊઠે છે. સામાજિક અન્યાયને ભેગ બનેલી બહેનો કે બીજી વ્યક્તિઓને જોઈને એમનું હૃદય દ્રવી જાય છે, અને એ માટે કંઈક કરે ત્યારે જ એમને સંતોષ થાય છે. ધાર્મિક અને સામાજિક રોગોના પંડિતજી સાચા પારખુ અને ચિકિત્સક છે. નિવૃત્તિને નામે સમાજમાં કેળવાતી પ્રવૃત્તિ પ્રત્યેની ઉદાસીનતા એમને બહુ ખટકે છે. ધાર્મિક પ્રવૃત્તિનો આદર્શ મિત્તિ મે સવ પુ–સમગ્ર વિશ્વ સાથે અદ્વૈત ભાવ એટલે કે અહિંસાને પૂર્ણ સાક્ષાત્કાર–હોઈ એમાં સંપ્રદાયવાદ કે વાડાબંધીને મુદ્દલ અવકાશ ન હોઈ શકે એમ તેઓ માને છે. અને સામાજિક પ્રવૃત્તિને એમને આદર્શ સ્ત્રી-પુરુષની અને મનુષ્યમાત્રની સમાનતા છે. પંડિતજી પ્રેમના સદા ભૂખ્યા છતાં ખુશામતથી સદા અળગા રહે છે, અને જેટલા વિનમ્ર છે એટલા જ મક્કમ છે. સાચી વાત શાંતિથી મીઠાશપૂર્વક તેઓ કહી શકે છે. અને જરૂર પડે કડવું કહેતાં પણ તેઓ ખમચાતા નથી. પંડિતજીની વ્યવહારકુશળતા જાણીતી છે. કુટુંબના કે ઘરના અટપટા પ્રશ્નોમાં તેઓ સાચે વ્યવહારુ ઉકેલ સૂચવી શકે છે. અને ચકેર તે એવા કે એક વખત કોઈ વ્યક્તિ કે સ્થળની મુલાકાત લીધી હોય તે એને કદી ભૂલે નહીં, [૨૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy