________________
ટૂંક પરિચય કરકસરને પતિછમિત્ર સમાન લેખે છે, પણ પોતાના સાથીને સાચવવામાં પૂરેપૂરા ઉદાર રહે છે. પિતાના નિમિત્તે કોઈનું શેષણ તે નથી થતું ને, એની એ પૂરેપૂરી જાગૃતિ રાખે છે. કોઈ સાચો જિજ્ઞાસુ કે કોઈ નવી વાતને જાણકારી મળી જાય તે પંડિતજી રાજીરાજી થઈ જાય છે. પોતાની કે બીજાની જિજ્ઞાસા સંતોષવી એ પંડિતજીને પ્રિયમાં પ્રિય વાત છે.
પંડિતજી કહે છે, બીજા ગમે તે કરે કે કહે, પણ આપણું મનને સ્વસ્થ રાખવું એ આપણા હાથની વાત છે. આ માટે એક વાર એમણે કહેલું કે : - “આપણા મન ઉપર આપણે કાબુ રાખી શકીએ છીએ એ વાતનું આપણને ભાન થયેલું હોવું જોઈએ. દાખલા તરીકે, મેં કોઈની પાસે રસને
લે માગે. રસ ભરેલો પ્યાલો લાવતાં લાવતાં, ગમે તે કારણે, પડી ગયે, ફૂટી ગયો અને એમને રસ ઢોળાઈ ગયો. આ રીતે દેખીતી રીતે આપણને ગુસ્સો કરવાનું નિમિત્ત મળી જાય છે. પણ આ ગુસ્સે આવતું હોય ત્યારે આપણે–જેને આધ્યાત્મિક સાધના પસંદ હોય એણે --આટલું જ વિચારવું જોઈએ કે ખાલાને પડતો કે તૂટતો બચાવ કે રસ ઢોળાઈ જતો અટકાવવો એ ભલે મારા હાથની વાત ન હાય; પણ મારા ચિત્તને ક્રોધ કરીને પડતું બચાવી લેવું, એને કાબૂમાં રાખવું એ તે મારા હાથની વાત છે ને!”
વ્યાપક દષ્ટિ પંડિતજી મુખ્યત્વે તે જ્ઞાનોપાસનાને જ વરેલા છે, છતાં જ્ઞાનને જ સર્વસ્વ માની બેસે એવી સંકુચિત દષ્ટિ એમની નથી.
પિતે દર્શનશાસ્ત્રના નિષ્ણાત કે સંસ્કૃત-પ્રાકૃત–પાલી સાહિત્યના જાણકાર હેવા છતાં જેમ વિદ્યાની જ્ઞાન અને વિજ્ઞાનરૂપે વિકસતી વિવિધ શાખાઓ, જેવી કે માનસશાસ્ત્ર, માનવવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેનું મૂલ્યાંકન કરી શકે છે, તેમ જીવનઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓનું મહત્ત્વ પણ બરાબર સ્વીકારે છે. અને તેથી તેઓ શાસ્ત્રીય ચિંતન જેટલો જ રસ લેકસેવાની રચનાત્મક પ્રવૃત્તિ, ઢોરઉછેર, ખેતીવાડી, સ્વચ્છતા, અંબર ચરખે, જાહેર સુખાકારી, હરિજનઉદ્ધારને પ્રશ્ન, સ્ત્રીઓના પ્રશ્નો, કેળવણી, બેધભાષા જેવા રાષ્ટ્રનિર્માણનાં વિવિધ કાર્યોમાં પણ લે છે, અને પિતાના જીવનનું સમગ્ર માનવજીવન સાથે તાદામ્ય સાધે છે.
અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિચુસ્તતાની સામે પંડિતજીને ભારે અણ
[ ૨૭].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org