________________
પંડિત સુખલાલજી પંડિતજીને મુખ્ય વિષય ભારતીય દર્શનશાસ્ત્રો અને તેમાંય જેના દર્શન છે. છતાં દરેક દર્શનનાં મૂળ તત્તનો અભ્યાસ, તે તે દર્શનના એક સાચા અભ્યાસી તરીકે, પંડિતજીએ કર્યો છે, એટલે તે તે દર્શનની તાત્ત્વિક માન્યતાને પંડિતજી મૂળભૂત રીતે સ્પર્શી શક્યા છે. અને આને પરિણામે, આપણા બીજા પંડિતેને
જ્યાં એકબીજા દર્શનોની માન્યતાઓ વચ્ચે પરસ્પર વિરોધ દેખાય છે ત્યાં, પંડિતજીને એમાં સુમેળ સ્થાપી શકે એવાં સમન્વયસાધક તો દેખાય છે.
આ રીતે સર્વ ભારતીય દર્શનની વચ્ચે સમન્વયદષ્ટિની સ્થાપના એ પંડિતજીનું આ ક્ષેત્રમાં મૌલિક અર્પણ લેખાવું જોઈએ. અને હવે તે કેવળ ભારતીય દર્શને જ શા માટે, દુનિયાનાં બીજાં દર્શનેના છેડા પણ અવલોકને પંડિતજીને એમાં પણ સમવયસાધક તત્વનું દર્શન કરાવ્યું છે. એટલે પંડિતજી સાચા અર્થમાં “સર્વદર્શનસમન્વયના સમર્થ પંડિત' બની ગયા છે.
જીવનપદ્ધતિ પંડિતજીની જીવનપદ્ધતિમાં સૌથી પહેલી વાત તે એ છે કે વધારેમાં વધારે સ્વતંત્રતા ભોગવવા મળે–એટલે કે ઓછામાં ઓછી પરાધીનતા વેઠવી પડે અને બીજાની સેવા ઓછામાં ઓછી લેવાને વખત આવે–એ રીતે એમણે પિતાનું જીવન સાદું અને ઓછામાં ઓછી જરૂરિયાતવાળું કેળવ્યું છે.
ખાન-પાન, વાચન-લેખન કે મેળ-મુલાકાતને પંડિતજીને આખા દિવસને કાર્યક્રમ નિયત જ હોય છે. દરેક કાર્ય નિયત સમયે કરવાને તેઓ આગ્રહ રાખે છે અને નિરર્થક કાળક્ષેપ તે એમને નાણાંના દુર્વ્યય જે અસહ્ય લાગે છે.
ખોરાકની પરિમિતતા અને ફરવાની નિયમિતતા એ છે પંડિતજીની તનની તંદુરસ્તી અને મનની તાજગીની ચાવી. ખાધા પછી આળસ આવે તે એ ખાધું ન કહેવાય, એમ પંડિતજી કહે છે. અને શરીરને જેટલું પોષણ આપે તેથી વધારે એની પાસેથી કામ લે તે જ એમને નિરાંત થાય છે. ધનસંચયની જેમ શરીરશક્તિનો સંચય પણ માનવીના પતનનું કારણ બનતું હોવાથી તેઓ શરીરને પુષ્ટ બનાવે એવાં દવા કે ખેરાક કદી નથી લેતાં. અને તબિયત અસ્વસ્થ થાય ત્યારે પણ ન છૂટકે જ દવાને આશ્રય લે છે. એ સને ૧૯૩૮માં પંડિતજીને મુંબઈમાં એપેન્ડિસાઈટીસનું ઓપરેશન કરાવવું પડયું હતું. પિતાને આવું દર્દ થયું તેને પંડિતજી પિતાની શરીર તરફની બેદરકારીનું ફળ માને છે અને ત્યારથી ખાન-પાનમાં વિશેષ સાવધ રહે છે...
[૨૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org