________________
ટૂંક પરિચય વર્સિટીમાં પિતાને યથેષ્ટ સંપાદનનું કામ કરવાનું અને એ માટેના જરૂરી ખર્ચની જોગવાઈ કરી આપવાનું પંડિતજીને કહેવડાવ્યું હતું, પણ પંડિતજીનું મન હવે ગુજરાત તરફ વળ્યું હતું એટલે એમણે એ માગણીને સ્વીકાર ન કર્યો.
વળી આ પહેલાં, કલકત્તા યુનિવર્સિટીના તે વખતના વાઈસ ચાન્સેલર શ્રી.શ્યામાપ્રસાદ મુખરજીએ પણ સર આશુતેષ ચેઅરના જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાવા કહેવરાવેલું, પણ એને પણ પંડિતજીએ સ્વીકાર કર્યો નહીં.
સમવયસાધક પાંડિત્ય પંડિતજીના અધ્યાપન કે સાહિત્યસર્જનની ત્રણ મુખ્ય વિશેષતાઓ છે –
પહેલું તે એ કે સામૂરું સ્ટિટ્ય વિચિત-જે કંઈ ભણાવવું કે લખવું તે આધારભૂત જ હોવું જોઈએ અને એમાં અક્તિ , અતિશયોક્તિ કે કલ્પિત વાતને મુલ સ્થાન હોવું ન જોઈએ. બીજું, ઐતિહાસિક દષ્ટિ એટલે કે સત્યશેધક દૃષ્ટિ. કઈ પણ મુદ્દાને ઉપગ પતે માની લીધેલી વાતને સાચી ઠરાવવા માટે નહીં, પણ એ વાતનું સત્ય રૂપ પામવા માટે જ કર જોઈએ. ત્રીજું, તુલનાત્મક દૃષ્ટિ. કોઈ પણ ગ્રંથની રચનાની પાછળ અનેક પ્રેરક બળાએ કામ કર્યું હોય છે; ઉપરાંત, એ ગ્રંથમાં પૂર્વકાલીન કે સમકાલીન ગ્રંથોની અસર કે એનાં અવતરણ સુધ્ધાં હવાને સંભવ છે. વળી સમાન વિષયના ગ્રંથમાં, ભાષાભેદ છતાં, વિષયનિરૂપણની અમુક સમાનતા હેવી સ્વાભાવિક છે. એટલે જેણે સત્યની શોધ કરવી હોય તેણે તુલનાત્મક દૃષ્ટિને સ્વીકાર કરવો જ રહ્યો.
આમ કરીને પંડિતજીએ અનેક સાંપ્રદાયિક રૂઢ માન્યતાઓને ફટકે લગાવવા સાથે કેટલાય નવાં વિધાનો કે સત્ય રજુ કર્યા છે. અને તેથી તેઓ જેમ વિદ્વાનના પ્રતિભાજન બન્યા છે તેમ રૂઢિચુસ્તોના ભારે અપ્રીતિભાજન પણ બન્યા છે.
પંડિતજી ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, પાલી, મરાઠી અને અંગ્રેજી એટલી ભાષાઓ જાણે છે, અને પહેલી ત્રણ ભાષાઓમાં તે એમણે લખ્યું છે પણ ખરું. શરૂઆતમાં એમનું વલણ પ્રસ્તાવના વગેરે સંસ્કૃતમાં લખવાનું હતું; પણ પછી એમણે ગુજરાતી કે હિન્દી જેવી કસુગમ ભાષાને જ આગ્રહ રાખે. કંઈ પણ લખવું હોય ત્યારે પંડિતજી અનેક ગ્રંથ સાંભળી જઈને એમાંથી કેટલીક ને કરાવી લે છે, અને કેટલું યાદ રાખી લે છે, પછી સ્વસ્થતાપૂર્વક એકધારું લખાવે જાય છે. એમની સ્મૃતિ, અને જુદાજુદા મુદ્દાએને ખલાબદ્ધ કરીને રજુ કરવાની રીત આશ્ચર્ય ઉપજાવે એવી છે.
ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org