SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬) દર્શન અને ચિંતન કરણીનું પરિવર્તન ન થાય, આત્મૌપમ્યની દૃષ્ટિ અને આત્મશુદ્ધિ સધાય એ જીવનમાં ફેરફાર ન થાય, ત્યાં લગી પહેલી બે બાબતે અનુભવમાં ન આવે. રહેણીકરણીના પરિવર્તનને જૈનશૈલીમાં ચરણકરણ કહે છે. વ્યવહારુ ભાષામાં એને અર્થ એટલો જ છે કે તદન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું. વ્યવહારુ જીવન એ આત્મૌપજ્યની દૃષ્ટિ કેળવવા અને આત્માની શુદ્ધિ સાધવાનું એક સાધન છે, નહિ કે એવી દષ્ટિ અને શુદ્ધિના ઉપર આવરણના–માયાના પડદા વધાર્થે જવાનું. રહેણીકરણીના પરિવર્તનમાં એક જ મુખ્ય બાબત સમજવાની છે અને તે એ કે મળેલાં ધૂળ સાધનોનો ઉપયોગ એ ન કરે કે જેથી એમાં આપણું જાત જ ખોવાઈ જાય. પણ ઉપરની બધી વાત સાચી હોય છતાં એ તે વિચારવાનું રહે જ છે કે આ બધું કેવી રીતે બને ? જે સમાજ, જે પ્રવાહમાં આપણે રહીએ છીએ તેમાં તે આવું કશું બનતું જેવાતું નથી. શું ઈશ્વર કે દેવી એવી કઈ શક્તિ નથી કે જે આપણે હાથ પકડે અને લેકપ્રવાહના વહેણની - ઊલટી દિશામાં આપણને લઈ જાય, ઊંચે ચડાવે? આને ઉત્તર મહાવીર સ્વાનુભવથી આપે છે. તે એ કે આ માટે પુરુષાર્થ જ આવશ્યક છે. જ્યાં લગી કોઈ પણ સાધક સ્વયં પુરુષાર્થ ન કરે, વાસનાઓના દબાણ સામે ન થાય, એના આઘાત–પ્રત્યાઘાતથી ક્ષોભ ન પામતાં અડગપણે એની સામે અઝવાનું પરાક્રમ ન દાખવે ત્યાં લગી ઉપર કહેલી એક બાબત કદી સિદ્ધ ન થાય. તેથી જ તે તેમણે કહ્યું છે કે “સંગમ િવી”િ અર્થાત સંયમ, ચારિત્ર, સાદી રહેણીકરણી એ બધા માટે પરાક્રમ કરવું. ખરી રીતે મહાવીર એ નામ નથી, વિશેષણ છે. જે આવું મહાન વીર્ય—પરાક્રમ દાખવે તે સહ મહાવીર. આમાં સિદ્ધાર્થનંદન તો આવી જ જાય છે અને વધારામાં બીજા બધા એવા અધ્યાત્મપરાક્રમીઓ પણ આવી જાય છે. - જે વાત ભગવાન મહાવીરે પ્રાકૃત ભાષામાં કહી છે તે જ વાત અન્ય પરિભાષામાં જરાક બીજી રીતે ઉપનિષદોમાં પણ છે. જ્યારે ઈશાવાસ્ય મંત્રને પ્રણેતા ઋષિ એમ કહે છે કે આખા વિશ્વમાં જે કંઈ દશ્ય જગત છે તે બધું ઈશથી ભરેલું છે, ત્યારે તે એ જ વાત બીજી રીતે કહે છે. જોકે ઈશ શબ્દથી ઈશ્વર સમજે તેમાં કંઈ ખોટું નથી; કારણ કે, જે ચેતનતત્વ આખા વિશ્વમાં લહેરાઈ રહ્યું છે તે શુદ્ધ હેવાથી ઈશ જ છે, સમર્થ જ છે. અહીં ઈશ્વરવાદ–અનીશ્વરવાદ અગર દૈતાદ્વૈતની તાર્કિક મીમાંસા નથી. અહીં તે ચેતનતત્વની વ્યાપ્તિની વાત છે. એ ઋષિ કહે છે કે જે આખા વિશ્વમાં ચેતનતત્વ હોય તે સાધકને ધર્મ એ છે કે તે ત્યાગ કરીને જ કંઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy