SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ગવાન મહાવીરના મંગળ વારસા [ ૨૯૫ આનંદ અને સુખને ચાહનાર બીજા નાનાંમોટાં પ્રાણીએ હાય; એવી સ્થિતિમાં એમ કેમ કહી શકાય કે માણુસમાં જ આત્મા છે, પશુપક્ષીમાં જ આત્મા છે અને ખીન્નમાં નથી ? કીટા અને પતંગા તો સુખની શોધ પાતપોતાની ઢબે કરતા દેખાય જ છે, પણ સૂક્ષ્મતમ વાનસ્પતિક જીવસૃષ્ટિમાં પણ સંતતિ, જનન અને પાણની પ્રક્રિયા અગમ્ય રીતે ચાલ્યા જ કરે છે.’ ભગવાનની આ ક્લીલ હતી, અને એ જ દલીલને આધારે તેમણે આખા. વિશ્વમાં પેાતાના જેવું જ ચેતનતત્ત્વ ઊભરાતું, ઉલ્લસતું જોયું. એને ધારણ કરનાર, નભાવનાર શરીરા અને ઇંદ્રિયાના આકાર-પ્રકારમાં ગમે તેટલું અંતર હાય, કાર્યશક્તિમાં પણુ અંતર હાય, છતાં તાત્ત્વિકરૂપે સવમાં વ્યાપેલ ચેતનતત્ત્વ એક જ પ્રકારનું વિલસી-રહ્યું છે. ભગવાનની આ જીવનદૃષ્ટિને આપણે આત્મૌપમ્યની દૃષ્ટિ કહીએ. જેવા આપણે તાત્ત્વિકરૂપે તેવા જ નાનાંમોટાં સબળાં પ્રાણીઓ. જે અન્ય પ્રાણીરૂપે છે તે પણ કયારેક વિકાસક્રમમાં માનવભૂમિ સ્પર્શે છે. અને માનવભૂમિપ્રાપ્ત જીવ પણ અવક્રાંતિ ક્રમમાં કયારેક અન્ય પ્રાણીનુ સ્વરૂપ લે છે. આવી ઉત્ક્રાંતિ અને અવક્રાંતિનું ચક્ર ચાલ્યા કરે, પણ તેથી મૂળ ચેતનતત્ત્વના સ્વરૂપમાં કશે જ ફેર પડતો નથી. જે ફેર પડે છે તે વ્યાવહારિક છે. ભગવાનની આત્મૌપમ્યની દૃષ્ટિમાં જીવનશુદ્ધિના પ્રશ્ન આવી જ જાય છે. અજ્ઞાત કાળથી ચેતનનેા પ્રકાશ ગમે તેટલા આવૃત થયા હાય~~~~ કાયેલા હાય, તેને આવિર્ભાવ છે કે વત્તો હાય, છતાં શક્તિ તા એની પૂર્ણ વિકાસની પૂર્ણ શુદ્ધિની છે જ. જો જીવતત્ત્વમાં પૂર્ણ શુદ્દિની શકયતા ન હોય તા આધ્યાત્મિક સાધનાના કાઈ અથ રહેતા જ નથી. જે જે દેશમાં સાચા આધ્યાત્મિક અનુભવીએ થયા છે, તેમની પ્રતીતિ એક જ પ્રકારની છે કે ચેતનતત્ત્વ મૂળે શુદ્ધ છે, વાસના અને લેપથી પૃથક્ છે. શુદ્ધ ચેતનતત્ત્વ ઉપર જે વાસના કે કર્મીની છાયા પડે છે તે તેનું મૂળ સ્વરૂપ નથી. મૂળસ્વરૂપ તે એથી જુદું જ છે, આ જીવનશુદ્ધિને સિદ્ધાંત થયા. જેતે આપણે આત્મૌપમ્યની દ્રષ્ટિ કહી અને જેને જીવનશુદ્ધિની દૃષ્ટિ કહી તેમાં વેદાંતીઓને બ્રહ્માદ્વૈતવાદ કે બીજા તેવા કેવળાદ્વૈત અને શુદ્દાદ્વૈત જેવા વાદો સમાઈ જાય છે, ભલે તેને સાંપ્રદાયિક પરિભાષામાં જુદો જુદો અર્થ હાય. જો તાત્ત્વિકરૂપે જીવનું સ્વરૂપ શુદ્ધ જ છે તો પછી આપણે એ સ્વરૂપ કૅળવવા અને મેળવવા શું કરવું એ સાધના વિષયક પ્રશ્ન ઊભે થાય છે. ભગવાન મહાવીરે એ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું છે, કે જ્યાં લગી રહેણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy