________________
ભગવાન મહાવીરને મંગળ વારસો
[૨૮ બને. એ જ આ ચેથા વારસાની વિશિષ્ટતા છે. જે માંગલિક વારસે મહાવિરે આપે કે મેં એમ હું કહું છું તે વારસે આપણને માબાપથી કે અન્ય વડીલેથી કે સામાન્ય સમાજમાંથી મળે જ એ નિયમ નથી અને છતાંય તે કઈ જુદા પ્રવાહમાંથી મળે તો છે જ.
શારીરિક, સાંપત્તિક અને સાંસ્કારિક એ ત્રણે ય વારસા સ્થૂળ ઈદ્રિથી ગમ્ય છે, જ્યારે ચોથા પ્રકારના વારસા વિશે એમ નથી. જે માણસને પ્રજ્ઞા–ઈદ્રિય પ્રાપ્ત હય, જેનું સંવેદન સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય તે જ આ વારસાને સમજી કે ગ્રહણ કરી શકે છે. બીજા વારસાઓ જીવન દરમિયાન કે મૃત્યુ સમયે નાશ પામે છે, જ્યારે આ માંગલિક વાર કદી નાશ પામતું નથી. એક વાર તે ચેતનમાં પ્રવેશે એટલે તે જન્મજન્માંતર ચાલવાને, એને ઉત્તરેતર વિકાસ થવાનો અને તે અનેક જણને સંપ્લાવિત–તરબોળ. પણ કરવાનો.
આપણે એવી કઈ આર્ય પરંપરામાં જન્મ્યા છીએ કે જન્મતાંવેંત આવા માંગલિક વારસાનાં આંદોલન આપણને જાણે-અજાણે સ્પર્શે છે. આપણે તેને ગ્રહણ કરી ન શકીએ, યથાર્થ રૂપમાં સમજી પણ ન શકીએ એમ બને, પણ આ માંગલિક વારસાનાં અદિલને આર્યભૂમિમાં બહુ સહજ છે.
શ્રી અરવિંદ, શ્રી રાધાકૃષ્ણન વગેરે ભારતભૂમિને અધ્યાત્મભૂમિ તરીકે ઓળખાવે છે તે એ જ અર્થમાં.
ભગવાન મહાવીરે જે માંગલિક વાર આપણને આપો કે છે. તે કહે છે એ આજે આપણે વિચારવાનું છે. એક બાબત સ્પષ્ટ સમજી લઈએ કે આ સ્થળે સિદ્ધાર્થનંદન કે ત્રિશલાપુત્ર સ્થૂળ દેહધારી મહાવીર વિશે આપણે મુખ્યપણે વિચાર નથી કરતા. એમનું ઐતિહાસિક કે ગ્રંથબદ્ધ સ્થળ જીવન તે હમેશાં આપણે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. આજે જે મહાવીરને હું નિર્દેશ કરું છું તે શુદ્ધબુદ્ધ અને વાસનામુક્ત ચેતનસ્વરૂપ મહાન વીરને ધ્યાનમાં રાખી નિર્દેશ કરું છું. આવા મહાવીરમાં સિદ્ધાર્થ નંદનને તે સમાવેશ થઈ જ જાય છે, પણ વધારામાં તેમના જેવા બધા જ શુદ્ધબુદ્ધ ચેતનને પણ સમાવેશ થઈ જાય છે. આ મહાવીરમાં કઈ નાતજાત કે દેશકાળને ભેદ નથી. તે વીતરાગાદ્વૈતરૂપે એક જ છે. આ મુદ્દા ધ્યાનમાં રાખીને જ અનેક સ્તુતિકારેએ સ્તુતિ કરી છે. જ્યારે માનતુંગ આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org