________________
ભગવાન મહાવીરના મંગળ વારસે
[૫]
આજના દિવસ સાંવત્સરિક પર્વના છે. તે જૈનેાની દૃષ્ટિએ વધારેમાં વધારે પવિત્ર છે. આખા દિવસ કરતાં આજનું પ્રભાત વધારે મગળ છે અને તે કરતાં પણ જે ક્ષણે આપણે મળીએ છીએ તે ક્ષણ વધારે માંગલિક છે; કારણ કે, અન્ય પ્રસગાએ સગાંસંબંધી, મિત્રો વગેરે મળે છે, પણ આજે તો આપણે એવા લૉકા મળ્યા છીએ, જે માટેભાગે એકબીજાને પિછાનતા પણ ન હેાય. આની પાછળ ભાવના એ છે કે આપણે બધા ભેદ અને તડ ભૂલી કેાઈ માંગલિક વસ્તુ—જીવનસ્પર્શી વસ્તુ સાંભળીએ અને તે ઉપર વિચાર કરીએ.
સામાન્ય રીતે આપણને જે વારસાઓ મળે છે તે ત્રણ પ્રકારના છે. માબાપ અને વડીલોથી શરીરને લગતા રૂપ, આકાર આદિ ગુણધમના વારસા તે પહેલા પ્રકાર અને માબાપ કે અન્ય તરફથી જન્મ પહેલાં અગર જન્મ આદ સપત્તિ વારસામાં મળે છે તે બીજો પ્રકાર. પહેલા અને ખીજા પ્રકાર વચ્ચે મોટા ભેદ છે, કેમકે શારીરિક વારસ સંતતિને અવશ્યંભાવી છે, જ્યારે સપત્તિ વિશે એમ નથી. ઘણીવાર માતાપિતાએ સંતતિને કશી જ સંપત્તિ વારસામાં ન આપી હોય તાં સંતતિ નવેસર એનું ઉપાર્જન કરે છે અને કેટલીક વાર વડીલો તરફથી મળેલી સંપત્તિ તે સાવ વેડફી પણ નાખે છે, તે તેના હાથમાં રહેતી નથી. સંસ્કાર એ માતાપિતા પાસેથી પણ મળે, શિક્ષા અને મિત્રો પાસેથી પણ મળે, તેમ જ જે સમાજમાં ઉછેર થાય તેમાંથી પણ મળે. ત્રીજો સસ્કારનો વારસો કઈ એક જ જાતનેા નથી હાતા. ભાષાને લગતા અને ખીજી અનેકવિધ કથાને લગતા એમ ધણી જાતના સંસ્કારો પ્રાપ્ત થાય છે. જીવન જીવવા, એને વિકસિત તેમ જ સમૃદ્ધ કરવા ઉપરના ત્રણેય વારસાએ ઉપયોગી છે એ ખરું, પણ એ ત્રણે પ્રકારના વારસામાં જીવંતપણું પ્રેરનાર, એમાં સંજીવની દાખલ કરનાર વારસા એ કાઈ જુદા જ છે; અને તેથી જ તે વારસા મંગળરૂપ છે. આ માંગલિક વારસા ન હાય તા ઉપરના ત્રણેય વારસા સાધારણ વન જીવવામાં સાધક થાય, ઉપયોગી ખતે, પણ તેથી વન કાઇ ઉચ્ચ પ્રકારનું—ધન્ય ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org