SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૧ કે દર્શન અને ચિંતન ફૂટટ્યા. પ્રશ્ન થયે કે શું એક માતાના ગર્ભમાંથી બીજી માતાના ગર્ભમાં ભગવાનનું સંક્રમણ થયાની વાત સંભવિત હોઈ શકે ? આવી પ્રશ્નાવલિ જેમ , જેમ મેટી થતી ગઈ તેમ તેમ તેની સામે શ્રદ્ધાએ પણ બંડ ઉઠાવ્યું, પરંતુ વિચાર અને તર્કના પ્રકાશે તેને લેશ પણ નમતું ન આપ્યું. આ ઉત્થાનપતનના તુમુલ દન્દ્રનું પરિણામ શુભ જ આવ્યું. હું હવે બુદ્ધ, રામ, કૃષ્ણ, ક્રાઈસ્ટ. અને જરથુસ્ત જેવા ધર્મપુરુષ અને અન્ય સંતોનાં જીવને પણ વાંચવાસમજવા લાગે. જોઉં છું તો એ બધાં જીવનમાં ચમત્કારના અલંકારતી કાઈ, મર્યાદા ન જ હતી. દરેકના જીવનમાં એકબીજાને આંટે એવા અનેક ઘણે અંશે મળતા ચમત્કાર દેખાયા. હવે મનમાં થયું કે જીવનકથાનાં, મૂળ જ તપાસવાં. ભગવાનના સાક્ષાત્ જીવન ઉપર અઢી હજાર વર્ષને દુર્ભેદ્ય. પડદો પડેલે જ છે. તે શું જે જીવન વર્ણવાયેલું મળે છે, તે પ્રમાણે પોતે, કોઈને કહેલું કે બીજા નિકટવર્તી અંતેવાસીઓએ તેને ધી કે લખી રાખેલું અગર યથાવત સ્મૃતિમાં રાખેલું ? આવા આવા પ્રશ્નોએ ભગવાનના જીવનની. યથાર્થ ઝાંખી કરાવે એવા અનેક જૂના કહી શકાય તેવા ગ્રંથના અધ્યયન તરફ મને વાળ્યો. એ જ રીતે બુદ્ધ અને રામ, કૃષ્ણ આદિ ધર્મપુનાં જીવનમૂળ જાણવા તરફ પણ વાળ્યો. પ્રાથમિક શ્રદ્ધા અને પિતાની પકડમાંથી છોડતી નહિ અને વિચારપ્રકાશ તેમ જ તટસ્થ નવું નવું અવલોકન એ પણ પિતાને પંજે ચલાવ્યેજ જતાં હતાં. આ ખેંચાખેંચે છેવટે તટસ્થતા અપ. જેને જેન લેકે સામાયિક કહે છે તેવું સામયિક–સમત્વ મંથનકાળ દરમિયાન ઉદયમાં આવતું ગયું, અને એ સમત્વે એકાંગી શ્રદ્ધા અને એકાંગી બુદ્ધિને ન્યાય આપ્યો–કાબૂમાં આપ્યા. એ સમત્વે મને સૂઝાડ્યું કે ધર્મપુરુષના જીવનમાં જે જીવતાજાગતે ધર્મદેહ હોય છે તેને ચમત્કાર, અલંકારનાં આવરણ સાથે લેવાદેવા શી? એ ધર્મદેહ તો ચમત્કારનાં આવરણ વિનાને જ સ્વયંપ્રકાશ દિગમ્બર દેહ છે. પછી જોઉં છું તે બધા જ મહાપુના જીવનમાં દેખાતી અસંગતિઓ આપમેળે સરી જતી ભાસી. જે આ નિદિધ્યાસનની ત્રીજી ભૂમિકા હજી પૂરી થઈ નથી, તેમ છતાં એ ભૂમિકાએ અત્યાર લગીમાં અનેક પ્રકારનું સાહિત્યમંથન કરાવ્યું, અનેક જીવતા ધર્મ પુરુષને સમાગમ કરાવ્યો અને ભારપૂર્વક કાંઈક કહી શકાય એવી મનઃસ્થિતિ પણ તૈયાર કરી. શ્રદ્ધા અને તર્કનાં એકાંગી વલણ બંધ પડ્યાં. ત્ય જાણવા અને પામવાની વૃત્તિ વધારે તીવ્ર બની. આ ભૂમિકામાં હવે મને સમજાઈ ગયું કે એક જ મહાપુરૂષના જીવન, જીવનના અમુક પ્રસંગો અને અમુક ઘટનાઓ પરત્વે શા કારણથી ક્લિાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy