SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર [ ૨૦૫ ચિત્ર અને મૂર્તિના દાખલાને આપણે જીવનકથામાં લાગુ પાડી વિષ્ણુ બ્લુ કરીએ તે મારી મૂળ મુદ્દો સ્પષ્ટ થશે. જેમાં ભગવાન મહાવીર જેવા ધર્મ પુરુષનું જીવન વર્ણવાયેલું હોય તેવા કાઈ પણ એક કે વધારે પુસ્તકાને વાંચી–સાંભળીને આપણે તેમના જીવનનો પરિચય સાધીએ ત્યારે મન ઉપર જીવનની છાપ એક પ્રકારની ઊઠે છે. ખીજી વાર એ જ વાંચેલ જીવનના વિવિધ પ્રસંગ વિશે વધારે મનન કરીએ અને તે વિશે ઊઠતા એકએક પ્રશ્નને ત અહિંથી તપાસીએ ત્યારે પ્રથમ માત્ર વાચન અને શ્રવણુ દ્વારા પ્રાપ્ત કરેલ જ્વનપરિચય ઘણી બાબતમાં નવું રૂપ ધારણ કરે છે. તે પરિચય પ્રથમના પરિચય કરતાં વધારે ઊડે અને સચાટ અને છે. મનનની આ ખીજી ભૂમિકા શ્રવણની પ્રથમ ભૂમિકામાં પડેલ અને પેાષાયેલ શ્રદ્ઘાસસ્કારી સામે કેટલીક આખતામાં ખંડ કરવાની પ્રેરણા પણ અર્પે છે. શ્રદ્ધા અને બુદ્ધિની અથડામાના આવા તે પરિણામે જિજ્ઞાસુ એ માંથી મુક્ત થવા વધારે પ્રયત્ન કરે છે. તેને પરિણામે જિજ્ઞાસુ હવે તથ્યની શોધમાં ઊંડા ઊતરે છે. પ્રથમ તેણે એકાદ જે સમાન્ય કે બહુમાન્ય જીવનકથા વાંચી–સાંભળીને શ્રદ્દા પાષી હાય કે તેવા એકાદ જીવનકથાના પુસ્તક ઉપરથી અનેકવિધ તર્કવિતર્ક કર્યાં હાય, તે પુસ્તકનું મૂળ જાણવા જ હવે તે પ્રેરાય છે. તેને એમ થાય છે કે જે પુસ્તકને આધારે હું જીવન વિશે વિચારું છું તે પુરતકમાં વર્ણવેલ પ્રસંગેા અને ખીનાના મૂળ આધારા શા શા છે? કયા અસલી આધારે ઉપરથી એ જીવનકથા આલેખાઈ છે? આવી જિજ્ઞાસા તેને જીવનકચ ની અસલી સામગ્રી શોધવા અને પ્રાપ્ત થતી સામગ્રીનું પરીક્ષણ કરવા પ્રેરે છે. આવા પરીક્ષણને પરિણામે જે જીવનકથા લાધે છે, જે ઇષ્ટ પુરુષના જીવનને પરિચય પ્રાપ્ત થાય છે તે પહેલી શ્રવણ અને ખીજી મનન કે તર્કની ભૂમિકા વખતે પ્રાપ્ત થયેલ પરિચય કરતાં અનેકગણા વધારે વિદ, સચેટ અને સપ્રમાણ હોય છે. સંશાધન કે નિદિધ્યાસનની આ ત્રીજી ભૂમિકા એ કાંઈ જીવનનું પૂરેપૂરું રહસ્ય પામવાની છેલ્લી ભૂમિકા નથી. એવી ભૂમિકા તો જુદી જ છે, જેતે વિશે આપણે આગળ વિચારીશું. મે' ભગવાન મહાવીરના વન વિશે કલ્પસૂત્ર જેવાં પુસ્તક વાંચી તેમ જ સાંભળીને જન્મપ્રાપ્ત શ્રદ્ધા-સસ્કારા પાપેલાં. મારી એ શ્રામાં ભગવાન સિવાય ખીજા કાઈ પણ ધર્મ પુરુષનું સ્થાન ન હતું. શ્રદ્ધાના એ કાળ જેટલે નો અને સાંકડા તેટલા જે તેમાં વિચારના પ્રકાશ પણ ચેડા હતા, પણ ધરે ધીરે શ્રદ્ધાની એ ભૂમિકામાં પ્રશ્નો અને તર્કવિતર્કો રૂપે બુદ્ધિના ફણગા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy