________________
ભગવાન મહાવીર
[ એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકા ] [ ૪ ]
લગભગ બધા જ જેના ભગવાન મહાવીરની જીવનકથાથી ઓછેવત્તે અંશે પરિચિત હાય જ છે. પન્નુસણના દિવસેામાં આપણે. એ કથા વાંચતાસાંભળતા આવ્યા છીએ, અને ધારીએ ત્યારે એ વિષયને લગતું સાહિત્ય મેળવી તે જીવનકથાને વાંચી પણ શકીએ છીએ. તેથી હુ આજના સાંવત્સરિક ધમ પ ને દિવસે ભગવાનના જીવનની સળગ કથા અગર તેમની અમુક ધટના સંભળાવવાની પુનરુક્તિ નથી કરતા. તેમ છતાં હું એવું કાંઈક કહેવા માગુ છું કે જેનાથી ભગવાનના વાસ્તવિક જીવનના પરિચય લાધવાની દિશામાં જ આપણે આગળ વધી શકીએ; અને એકસરખી રીતે મહાવીરના જ અનુયાયી ગણાતા વર્ગમાં તેમના જીવન વિશે જે જે પરસ્પર વિરુદ્ધ એવી અનેક કલ્પના પ્રવર્તે છે તેમ જ ધણીવાર એ કલ્પના અથડામણનું રૂપ ધારણ કરી સમ્પ્રદાયભેદમાં પરિણામ પામે છે, તેનું અસલી કારણ સમજી શકીએ ને ગેરસમજ દૂર થવાથી ભગવાનના જીવનનું ઊંડું રહસ્ય પણ પામી શકીએ. હું જે કહેવા માગું છું તે સ્વાનુભવને આધારે જ. બીજા ભાઈ આ અને બહેને એમાં પોતાના અનુભવ મેળવી મારા કથન ઉપર વિચાર કરશે તો એકદરે ભગવાનના જીવન વિશેની સમજણમાં વધારો જ થશે.
કાઈ એક વ્યક્તિ દૂરથી અમુક ચિત્રને જુએ ત્યારે તેને તે ચિત્રના ભાસ અમુક પ્રકારે થાય છે. તે જ જોનાર વ્યક્તિ વધારે નજીક જઈ તે ચિત્રને જુએ ત્યારે તેની દૃષ્ટિમર્યાદામાં ચિત્રના ભાસ વધારે સ્પષ્ટતાથી ઊઠે છે, પણ જો તે જ વ્યક્તિ વધારે એકાગ્ર બની તે ચિત્રને હાથમાં લઈ વિશેષ ખારીકાઈથી નિહાળે તો તેને એની ખૂબીઓનું ઓર વધારે પ્રમાણમાં ભાન થાય છે. જેમ ચિત્ર વિશે તેમ મૂતિ વિશે પણ છે. કાઈ ભવ્ય મંદિરમાં ભગવાન મહાવીર જેવા ધ પુરુષની સુરેખ અને શાન્ત મૂર્તિ હેાય. તેને જોનાર એક વ્યક્તિ મંદિરના ચેાગાનનાં ઊભી હાય, ખીજી રંગમંડપમાં ઊભી રહી મૂર્તિ નિહાળતી હાય અને ત્રીજી વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ મૂર્તિને નિહાળતી હોય, તો બધાંની એકાગ્રતા અને શ્રદ્દા સમાન હાવા છતાં તેમની દૃષ્ટિમર્યાદામાં મૂર્તિને પ્રતિભાસ એછેવત્તે અંશે ભિન્નભિન્ન પ્રકારના જ હોવાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org