SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ ર૭૧ અને દઢ નિશ્ચયથી જીતી લે છે, તેમ જ પિતાના ધ્યેયમાં આગળ વધે છે. આ વિજય કોઈ પણ સાધારણ માણસ માટે શક્ય નથી હોતો, તેથી તે વિજયને દેવી વિજય તરીકે ઓળખાવવામાં કશી જ અતિશયોક્તિ નથી. કર્મવીર કૃષ્ણના જીવનમાં એ પુરુષાર્થ બહિર્મુખ થઈ લેખસંગ્રહ અને સામાજિક નિયમનને માર્ગે વળે છે. એ ધ્યેય સાધતાં જે દુશ્મન કે વિરોધી વર્ગ તરફથી અડચણો ઊભી થાય છે તે બધી અડચણને કર્મવીર જ્યારે પિતાનાં ધેર્ય, બળ અને ચાતુરીથી દુર કરી પિતાનું કાર્ય પાર પાડે છે, ત્યારે આ લૌકિક સિદ્ધિ સાધારણ લેકેને દેવી અને અલૌકિક બની જાય એ સ્વાભાવિક છે. આ રીતે આપણે એ બન્ને મહાન પુરુષોનાં જીવનને, આપ દૂર કરી, વાંચીએ તો ઊલટી વધારે સહજતા અને સંગતતા દેખાય છે અને તેમનું વ્યક્તિત્વ વધારે માનનીય–ખાસ કરી આ યુગમાં–બને છે. ઉપસંહાર કર્મવીર કૃષ્ણના સંપ્રદાયના ભક્તોને ધર્મવીર મહાવીરના આદર્શની ખૂબીઓ ગમે તેટલી દલીલથી સમજાવવામાં આવે તો પણ તેઓને તે પૂરેપૂરી ભાગ્યે જ સમજાય. એ જ રીતે ધર્મવીર મહાવીરના સમ્પ્રદાયના અનુયાચાઓ કર્મવીર કૃષ્ણના જીવનના આદર્શની ખૂબીઓ બરાબર સમજે એ પણ ભાગ્યે જ સંભવ છે. આ પ્રમાણે સામ્પ્રદાયિક માનસ અત્યારે ઘડાયેલું જોઈએ છીએ ત્યારે અહીં જેવું એ પ્રાપ્ત થાય છે કે શું વસ્તુતઃ ધર્મ અને કર્મના આદર્શ વચ્ચે એવો કોઈ વિરોધ છે કે જેથી એક આદર્શના અનુયાયીઓને બીજો આદર્શ તર્ન અગ્રાહ્ય લાગે? વિચાર કરતાં દેખાય છે કે શુદ્ધ ધર્મ અને શુદ્ધ કર્મ એ બન્ને એક જ આચરણગત સત્યની જુદી જુદી બાજુઓ છે. એમાં ભેદ છે, પણ વિરોધ નથી. દુન્યવી પ્રવૃત્તિ છેડવા સાથે ભગવાસનામાંથી ચિત્તની નિવૃત્તિ સિદ્ધ કરી પછી એ નિવૃત્તિ દ્વારા જ લેકકલ્યાણ માટે પ્રયત્ન કરે છે, એટલે કે જીવનધારણું માટે જરૂરી પણ લૌકિક એવી પ્રવૃત્તિઓની વ્યવસ્થાને ભાર લેકે ઉપર જ છોડી દઈ માત્ર એ પ્રવૃત્તિમાંના કલેશ કંકાસકારી અસંયમરૂપ વિષને જ નિવારવા લોકો સામે પિતાના સમગ્ર જીવન દ્વારા પદાર્થપાઠ રજૂ કરે તે શુદ્ધ ધર્મ. અને દુન્યવી બધી પ્રવૃત્તિમાં રહ્યા છતાં તેમાં નિષ્કામપણું કે નિર્લેપપણું કેળવી, તેવી પ્રવૃત્તિના સામંજસ્ય દ્વારા લેકોને એગ્ય રસ્તે દોરવા પ્રયત્ન કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy