SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ] દર્શન અને ચિંતન સમ્પ્રદાય તરફ આકર્ષી રાખવાનો માર્ગ એક જ હોય છે અને તે એ કે તેણે પણ પિતાના સમ્પ્રદાયના પાયા ટકાવી રાખવા માટે બીજા વિરોધી અને પાડોશી સમ્પ્રદાયમાં ચાલતી આકર્ષક વાત જેવી વાતે અથવા તેથી વધારે સારી વાત છે, લખી લેકે સામે રજૂ કરવી. આ રીતે પ્રાચીન અને મધ્યયુગમાં જેમ ધર્મભાવના જાગ્રત રાખવાની દૃષ્ટિએ તેમ સમ્પ્રદાયના પાયા મજબૂત કરવાની દૃષ્ટિએ પણ મુખ્યપણે મન્ન-તન્ન, જડી-બુટ્ટી, દેવી ચમત્કાર ઈત્યાદિ ધર્મતત્ત્વની સાથે અસંગત એવાં સાધનોનો ઉપયોગ થતો. ગાંધીજી ઉપવાસ કે અનશન આદરે છે. દુનિયાની મોટામાં મોટી શહેનશાહતના સૂત્રધારો વિચારમાં પડે છે. ગાંધીજીને જેલમાંથી મુક્ત કરે છે. ફરી પકડે છે. વળી ફરી ઉપવાસ શરૂ થતાં છોડી દે છે. આખા દેશમાં જ્યાં જ્યાં ગાંધીજી જાય છે, ત્યાં ત્યાં જનસમુદ્રમાં ભરતીનું મેનું આવે છે. કોઈ તેમનો અતિ વિરોધી પણ જ્યારે તેમની સામે જાય છે ત્યારે એક વાર તો તે મને મુગ્ધ થઈ ગર્વગલિત થઈ જાય છે–આ બધી વાસ્તવિક વસ્તુ છે, સ્વાભાવિક છે અને મનુષ્યબુદ્ધિગમ્ય છે. પરંતુ આ યુગમાં આ બધી વસ્તુને જે કોઈ દેવી બનાવ તરીકે વર્ણવે તો તે વસ્તુને જેમ કોઈ બુદ્ધિમાન સાંભળે કે સ્વીકારે પણ નહિ તેમ આ યુગમાં તેની જે ખરી કિંમત અંકાય છે તે પણ ઊડી જાય. આ યુગબળને એટલે વૈજ્ઞાનિક યુગને પ્રભાવ છે. આ બળ પ્રાચીન કે મધ્યયુગમાં ન હતું. તેથી તેમાં આવી જ કોઈ સ્વાભાવિક વસ્તુને જ્યાં સુધી દેવી પાસ કે ચમત્કારને પાસ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે લેકમાં પ્રચાર પામી શકે નહિ. બે યુગ વચ્ચેનું આ ચેખું અંતર છે, એ સમજીને જ આપણે પ્રાચીન અને મધ્યકાલીન યુગની વાર્તાઓ અને જીવનવૃત્તાન્તોને વિચાર કરે ઘટે છે. ત્યારે હવે છેવટે સવાલ એ થાય છે કે એ શાસ્ત્રમાંની ચમત્કારી અને દેવી ઘટનાઓને અત્યારે કેવા અર્થમાં સમજવી કે વાંચવી ? જવાબ સ્પષ્ટ છે અને તે એ કે કઈ પણ મહાન પુરુષના જીવનમાં સાચું અને માનવા જેવું તત્વ તે “શુદ્ધબુદ્ધિવાળો પુરુષાર્થ એ હોય છે. આ તત્વને લેકે સામે મૂકવા માટે શાસ્ત્રલેખકે વિવિધ કલ્પનાઓ પણ જે છે. ધર્મવીર મહાવીર છે કે કર્મવીર કૃષ્ણ, પણ એ બન્નેના જીવનમાંથી લેકેને શીખવવાનું તત્વ તે એ જ હોય છે. ધર્મવીર મહાવીરના જીવનમાં એ પુરુષાર્થ અનcખ થઈ આત્મશોધનને ભાગ લે છે અને પછી આત્મશોધન વખતે આવતા અંદર કે બહારના પ્રાકૃતિક ગમે તેવા ઉપસર્ગોને એ મહાન પુરુષ પિતાના આત્મબળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy