________________
ધમવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
[ ર૬૯ ભળી જનતાના મન ઉપર શાસ્ત્રના અારાર્થના યથાર્થપણાની છાપ વજલેપ જેવી થઈ જાય છે. આવી સ્થિતિમાં શાસ્ત્રીય વર્ણનની પરીક્ષા કરવાનું કામ અને પરીક્ષાપૂર્વક તેને સમજાવવાનું કામ ઘણું જ અઘરું થઈ જાય છે. તે વિશિષ્ટ વર્ગના લેકોના ગળે ઊતરતાં પણ બે વખત લે છે અને ઘણા ભાગો માગે છે. આવી સ્થિતિ માત્ર જૈન સમ્પ્રદાયની જ નથી, પણ દુનિયા ઉપરના દરેક સમ્પ્રદાયની લગભગ એક જ જેવી સ્થિતિને ઈતિહાસ આપણી સામે છે.
આ યુગ વિજ્ઞાનને છે. એમાં દેવી ચમત્કાર અને અસંગત કલ્પનાઓ પ્રતિ પામી શકે નહિ. એટલે અત્યારની દૃષ્ટિએ પ્રાચીન મહાપુરુષોનાં ચમત્કારપ્રધાન જીવન વાંચીએ ત્યારે તેમાં ધાણે અસંબદ્ધ અને કાલ્પનિક દેખાય એ તદ્દન સ્વાભાવિક છે. પરંતુ જે યુગમાં એ વૃત્તાન્ત લખાયાં, જે લેકેએ લખ્યાં, જે લેકે વાસ્તે લખ્યાં અને જે ઉદ્દેશથી લખ્યાં તે યુગમાં આપણે દાખલ થઈ તે લખનાર અને સાંભળનારનું માનસ તપાસી, તેમના લખવાના ઉદ્દેશો વિચાર કરી, ગંભીરપણે જોઈએ તે આપણને ચેખું દેખાશે કે એ પ્રાચીન અને મધ્યયુગમાં મહાન પુરુષોનાં જીવનવૃત્તાન્ત જે રીતે આલેખાયેલાં છે તે જ રીતે તે વખતે કારગત હતી. આદર્શ ગમે તે ઉચ્ચ હોય અને તેને કોઈ અસાધારણ વ્યકિતએ બુદ્ધિશુદ્ધ કરી જીવન ગમ્ય કર્યો હેય, છતાં સાધારણ લેકે એ અતિ સૂક્ષ્મ અને અતિ ઉચ્ચ આદર્શને બુદ્ધિગમ્ય કરી શક્તા નથી અને છતાં સૌની એ આદર્શ તરફ ભક્તિ હોય છે : સૌ એને ઈચ્છે છે અને પૂજે છે.
આવી સ્થિતિ હોવાથી સાધારણ લેકની એ આદર્શ પ્રત્યેની ભક્તિ અથવા તે ધર્મભાવના જાગ્રત રાખવાને ધૂળ માર્ગ સ્વીકારવો પડે છે; જેવું લેકમાનસ તેવી કલ્પના કરી તેમની સામે એ આદર્શ મૂકે પડે છે. લોકોનું મન સ્થળ હોઈ ચમત્કારપ્રિય હોય અને દેવદાનવોના પ્રતાપની વાસનાવાળું હોય ત્યારે તેમની સામે સૂક્ષ્મ અને શુદ્ધતર આદર્શને પણ ચમત્કાર અને દૈવી પાસનાં વાઘા પહેરાવીને મૂકવામાં આવે તો જ સાધારણ લોકોને સાંભળો ગમે અને તેમને ગળે ઉતરે. આ કારણથી તે યુગમાં ધર્મભાવના જાગ્રત રાખવા તે વખતના શાસ્ત્રકારોએ મુખ્યપણે ચમત્કારે અને અદ્ભુતતાઓનાં વર્ણનને આશ્રય લીધેલ છે. વળી, પિતાની જ પડેશમાં ચાલતા અન્ય સમ્પ્રદાયોમાં જ્યારે દેવતાઈ વાતે અને ચમત્કારી પ્રસંગોની ભરમાર હોય ત્યારે પિતાના સંપ્રદાયના લેકને તે તરફ જતા અટકાવી પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org