________________
૨૧૮ ]
દર્શન અને ચિંતન થઈ અને તેને લગતું સાહિત્ય ખૂબ રચાયું તેમ જ કપ્રિય થતું ગયું ત્યારે સમયસૂચક જૈન લેખકેએ પણ રામચંદ્રની પેઠે કુણને પણ અપનાવ્યા અને પુરાણગત કૃષ્ણવર્ણનના જન દૃષ્ટિએ દેખાતા હિંસાના વિષને ઉતારી તેને જૈન સંસ્કૃતિ પ્રમાણે મેળ બેસાડ્યો અને તેમાં અહિંસાની દૃષ્ટિએ લખાતાં કથાસાહિત્યને વિકાસ સાધે.. - જ્યારે કૃષ્ણજીવનના તોફાની અને શૃંગારી પ્રસંગે પ્રજામાં લેકપ્રિય થતાં ગયાં ત્યારે એ જ પ્રસંગો એક બાજુએ જૈન સાહિત્યમાં પરિવર્તન સાથે સ્થાન પામતા ગયા અને બીજી બાજુ તે પરાક્રમપ્રધાન અદ્ભુત પ્રસંગેની મહાવીરજીવનવર્ણન ઉપર અસર થતી ગઈ હોય એ વિશેષ સંભવ છે. અને તેથી જ, આપણે જોઈએ છીએ કે, પુરાણમાં કૃષ્ણના જન્મ, બાળકીડા અને યૌવનવિહાર આદિ પ્રસંગે માનુષી કે અમાનુધી અસુરેએ કરેલા ઉપદ્રવ અને ઉત્પાતનું જે અસ્વાભાવિક વર્ણન છે અને તે ઉપાસેના, કૃષ્ણ કરેલ નિવારણનું અસ્વાભાવિક છતાં માત્ર મનોરંજક, જે વર્ણન છે તે જ અસ્વ- ભાવિક છતાં લેકમાનસમાં ઊંડે સુધી ઊતરી ગયેલ વર્ણન, અહિંસા અને - ત્યાગની ભાવનાવાળા જૈન ગ્રન્થકારેને હાથે કે સંસ્કાર પામી મહાવીરના જન્મ, બાળક્રીડા અને જુવાનીની સાધનાવસ્થાને પ્રસંગે દેવત વિવિધ ઘટના તરીકે સ્થાન પામે છે, અને પૌરાણિક વર્ણનની વિશેષ અસ્વાભાવિકતા તથા અસંગતિ દૂર કરવાને જન પ્રન્થકારેને પ્રયત્ન છેવા છતાં તત્કાલીન લેકમાનસ પ્રમાણે મહાવીરના જીવનમાં સ્થાન પામેલ પૌરાણિક ઘટનાઓના વર્ણનમાં એક જાતની અમુક અંશે અસ્વાભાવિકતા અને અસંગતિ રહી જ જાય છે. ૩. કથાનાં સાધનેનું પૃથક્કરણ અને તેનું ઔચિત્ય
હવે આપણે “લેકમાં ધર્મભાવના જાગ્રત રાખવા તેમ જ સમ્પ્રદાયના પાયા મજબૂત કરવા તે વખતે મુખ્યપણે કઈ જાતના સાધનને ઉપયોગ કથાગ્રન્થમાં કે જીવનવૃતાતેમાં થતે, તેનું પૃથકરણ કરવું અને તેનું ઔચિત્ય વિચારવું–આ ત્રીજા દષ્ટિબિન્દુ ઉપર આવીએ છીએ.
ઉપર જે કાંઈ વિવેચના કરવામાં આવી છે તે શરૂઆતમાં કોઈ પણ અતિશાદ્ધાળુ સામ્પ્રદાયિક ભક્તને આઘાત પહોંચાડે એ દેખીતું છે. કારણ એ છે કે સાધારણું ઉપાસક અને ભક્ત જનતાની પિતાના પૂજ્ય પુરુષ તરફની શ્રદ્ધા બુદ્ધિશાધિત કે તર્કપરિમાર્જિત નથી હોતી. એવી જનતાને મન શાસ્ત્રમાં લખાયેલ દરેક અક્ષર સૈકાલિક સત્યરૂપ હોય છે અને વધારામાં જ્યારે એ શાસ્ત્રને ત્યાગી ગુરુ કે વિદ્વાન પંડિત વાંચે કે સમજાવે છે ત્યારે તે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org