________________
ધવાર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
[ ૨૫૯ આ વિધાનને સ્પષ્ટ કરવા ખાતર અહીં બે જાતના પુરાવાઓ ઉપસ્થિત કરવામાં આવે છે:
(૧) પહેલે તો એ કે ખુદ જૈન ગ્રન્થમાં મહાવીરના જીવન સંબંધી ઉક્ત ઘટનાઓ કયે ક્રમે મળે છે તે, અને
(૨) બીજું એ કે જેના પ્રમાં વર્ણવાયેલ કૃષ્ણના જીવનપ્રસંગની પૌરાણિક કૃષ્ણજીવન સાથે સરખામણી કરવી અને એ વિશેના જૈન તથા પૌરાણિક ગ્રન્થોને કાળક્રમ તપાસ.
જૈન સમ્પ્રદાયના મુખ્ય બે ફિરકામાંથી દિગમ્બર ફિરકાના સાહિત્યમાં મહાવીરનું જીવન જેમ તદ્દન ખંડિત છે તેમ તે જ ફિરકાના જુદા જુદા ગ્રન્થોમાં કવચિત પરસ્પર વિસંવાદી પણ છે. તેથી અત્રે શ્વેતાબર ફિરકાના ગ્રન્થને જ સામે રાખી વિચાર કર પ્રાપ્ત થાય છે. સૌથી જૂના મનાતા અંગસાહિત્યમાં બે અંગે એવાં છે કે જેમાં ઉપર વર્ણવેલી મહાવીરના જીવનની ઘટનાઓમાંથી કોઈકની જ ઝાંખી થાય છે. આચારાંગ નામના પહેલા અને સૌથી નિર્વિવાદ પ્રાચીન મનાતા અંગના પહેલા મુતસ્કંધ (ઉપધાનસૂત્ર અ૦ ૯) માં ભગવાન મહાવીરની સાધક અવસ્થાનું વર્ણન છે; પણ એમાં તે કઠોર સાધકને સુલભ એવા તદ્દન સ્વાભાવિક મનુષ્યકત અને પશુ-પંખીકૃત ઉપસર્ગોનું વર્ણન છે, જે અક્ષરશઃ સત્ય લાગે છે અને એક વીતરાગ સંસ્કૃતિના નિર્દેશક શાસ્ત્રને બંધબેસે તેવું લાગે છે. એ જ આચારાંગના પાછળથી ઉમેરાયેલા મનાતા બીજા શ્રુતસ્કંધમાં ભગવાનની તદન સંક્ષેપમાં આખી જીવનકથા આવે છે. એમાં ગર્ભસંહરણની ઘટનાને, તેમ જ કઈ પણ જાતની વિગત કે વિશેષ ઘટનાના નિરૂપણ સિવાય માત્ર ભયંકર ઉપસર્ગો સહ્યાનો નિર્દેશ છે. ભગવતી નામના પાંચમા અંગમાં મહાવીરના ગર્ભહરણનું વર્ણન વિશેષ પલ્લવિત રીતે મળે છે. તેમાં એ બનાવ ઇન્દ્ર દ્વારા દેવ મારફત સધાયાની ઉપપત્તિ છે, અને એ જ અંગમાં બીજે સ્થળે (ભગવતી શતક ૯, ઉદ્દેશ ૩૩, પૃ. ૪૫૬) મહાવીર દેવાનન્દાના પુત્ર તરીકે પિતાને ઓળખાવતાં ગૌતમને કહે છે કે આ દેવાનન્દા મારી માતા છે. (જ્યારે એમને જન્મ ત્રિશલાની કુક્ષિથી થયેલ હોઈ સૌ એમને ત્રિશલાપુત્ર તરીકે ત્યાં સુધી ઓળખતા હોય એવી કલ્પના દેખાય છે. )
જોકે આ અંગે વિક્રમના પાંચમા સૈકાની આસપાસ સંકલિત થયાં છે, છતાં એ જ રૂપમાં કે ક્વચિત ક્વચિત શેડા ભિન્ન રૂપમાં એ અંગેનું અસ્તિત્વ તેથી વધારે પ્રાચીન છે અને તેમાંય આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org