SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ] દર્શન અને ચિંતન છે તેમાંથી એક વર્ણન પૂર્ણ નહિ તો મોટાભાગે બીજાને આભારી છે અને એક ઉપર બીજાની અસર છે. ત્યારે હવે ચેથા જ પક્ષ વિશે વિચાર કર બાકી રહે છે. વૈદિક વિધાનએ જૈન વર્ણન અપનાવી પિતાના ગ્રન્થમાં પિતાની ઢબે સ્થાન આપ્યું કે જૈન લેખકોએ વૈદિક-પૌરાણિક વર્ણનને અપનાવી પિતાની ઢબે પિતાના ગ્રન્થમાં સ્થાન આપ્યું એ જ પ્રશ્ન વિચારવાનું છે. જૈન સંસ્કૃતિને આત્મા અને મૂળ જૈન ગ્રન્થકારનું હોવું જોઈતું માનસ એ બે દષ્ટિઓથી જે વિચાર કરવામાં આવે તે એમ કહ્યા વિના ન જે ચાલે કે જૈન સાહિત્યમાંનું ઉપર્યુક્ત વર્ણન એ પૌરાણિક વર્ણનને આભારી છે. જૈન સંસ્કૃતિને આત્મા પૂર્ણત્યાગ, અહિંસા અને વીતરાગત્વના આદર્શ, એ છે. તેથી મૂળ જૈન ગ્રન્થકારોનું માનસ પણ એ જ આદર્શ પ્રમાણે ઘડાયેલું હોવું જોઈએ અને એ જ આદર્શ પ્રમાણે ઘડાયેલું હોય તો જૈન સંસ્કૃતિ સાથે પૂરે મેળ ખાય. જૈન સંસ્કૃતિમાં વહે, ચમત્કારે, કલ્પિત આડંબરે અને કાલ્પનિક આકર્ષણને જરાય સ્થાન નથી. જેટલે અંશે આવી કૃત્રિમ અને બાહ્ય વસ્તુઓ દાખલ થાય તેટલે અંશે જૈન સંસ્કૃતિને આદર્શ વિકૃત થાય અને હણાય છે. આ વસ્તુ સાચી હોય તે આચાર્ય સમન્તભઇની વાણીમાં, અન્ધશ્રદ્ધાળુ ભક્તોની અપ્રીતિ વહેરીને અને તેની પરવા કર્યા સિવાય, સ્પષ્ટ કહી દેવું જોઈએ કે ભગવાન મહાવીરની પ્રતિષ્ઠા કાંઈ એવી ઘટનાઓમાં અને બાળકલ્પના જેવા દેખાતાં વર્ણનમાં નથી; કારણ કે, એવી દેવી ઘટનાઓ અને અભુત ચમત્કારી પ્રસંગે તે ગમે તેના જીવનમાં વર્ણવાયેલા સાંપડી શકે છે. તેથી જ્યારે ધર્મવીર દીર્ઘતપસ્વીના જીવનમાં ડગલે ને પગલે દેવોને આવતા જોઈએ છીએ, દેવી ઉપદ્રવને વાંચીએ છીએ અને અસંભવ જેવી દેખાતી કલપનાના રંગ નિહાળીએ છીએ ત્યારે એમ લાગે છે કે ભગવાન મહાવીરના જીવનમાં સ્થાન પામેલી આ ઘટનાઓ અસલમાં વાસ્તવિક નથી, પણ તે પાડોશી વૈદિક-પૌરાણિક વર્ણને ઉપરથી પાછળથી લેવામાં આવી છે. १. देवागमनमोयानचामरादिविभूतयः। मायाविध्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥ -आप्तमीमांसा અર્થ–દેવોનું આગમન, વિમાન અને ચામરાદિના આડંબરે જે અદ્રનલિક ચમત્કારી હોય તેમાં પણ દેખાય છે, માટે હે પ્રભુ ! એ વિભૂતિને કારણે તું અમારી દષ્ટિમાં મહાન નથી, અર્થાત તારી મહત્તાનું ચિહ્ન બીજું જ હોવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy