SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃણ (૩) કઈ પણ એક સમ્પ્રદાયની ઘટનાઓનું વર્ણન બીજે સમજાય તેવા વર્ણનને આભારી છે અથવા તેની અસરવાળું છે. A () જે એકની અસર બીજા ઉપર હોય જ તે કયા સંપ્રદાયનું વર્ણન બીજ સમ્પ્રદાયને આભારી છે અને તેમાં તેણે મૂળ વર્ણન અને મૂળ કહપના કરતાં કેટલે ફેરફાર કર્યો છે અથવા પોતાની દ્રષ્ટિએ કેટલે વિકાસ સાધે છે? આમાંથી પહેલા પક્ષને સંભવ જ નથી, કારણ કે, એક જ દેશ, એક જ પ્રાન્ત, એક જ ગામ, એક જ સમાજ અને એક જ કુટુંબમાં જ્યારે બને સમ્પ્રદાયે સાથોસાથ પ્રવર્તમાન હોય અને બન્ને સમ્પ્રદાયના વિકાને તેમ જ ધર્મગુરુઓમાં શાસ્ત્ર, આચાર અને ભાષાનું જ્ઞાન તેમ જ રીતરિવાજ એક જ હોય ત્યાં ભાષા અને ભાવની આટલી બધી સમાનતાવાળું, ઘટનાઓનું વર્ણન એકબીજાથી તદ્દન સ્વતન્ત્ર છે અને પરસ્પરની અસર વિનાનું છે એમ માનવું એ લેકસ્વભાવના અજ્ઞાનને કબૂલવા જેવું થાય. બીજા પક્ષ પ્રમાણે બને સમ્પ્રદાયનું ઉત વર્ણન, પૂર્ણ નહિ તે અલ્પાશે પણ, કઈ મૂળ સામાન્ય ભૂમિકામાંથી આવ્યું હોય એ સંભવ કલ્પી શકાય; કારણ કે, આ દેશમાં જુદે જુદે વખતે અનેક જાતિઓ આવી છે અને ને અહીંની પ્રજા તરીકે આબાદ થઈ છે. તેથી ગોપ કે આહીર જેવી કોઈ બહારથી આવેલી કે આ દેશની ખાસ જાતિમાં જ્યારે વૈદિક કે જેન સંસ્કૃતિનાં મૂળ ન હોય ત્યારે પણ કૃષ્ણ અને કંસનાં સંધર્ષણના જેવી. અગર તે મહાવીર અને દેવના પ્રસંગે જેવી આછી આછી વાતો પ્રચલિત હોય અને પછી એ જાતિઓમાં ઉક્ત બન્ને સંસ્કૃતિઓ દાખલ થતાં અગર વૈદિક અને જૈન સંસ્કૃતિવાળી પ્રજાઓમાં એ જાતિઓનું મિશ્રણ થઈ જતાં તે તે જાતિમાં તે વખતે પ્રચલિત અને લોકપ્રિય થઈ પડેલી વાર્તાઓને વૈદિક અને જૈન સંસ્કૃતિના ગ્રન્થકારેએ પિતપતાની ઢબ, પિતા પિતાના સાહિત્યમાં સ્થાન આપ્યું હોય એમ બનવા જેવું છે. અને જ્યારે વૈદિક તેમ જ જૈન સંસ્કૃતિનાં બને વર્ણનમાં કૃષ્ણનો સંબંધ એકસરખો ગોપ અને આહીરે સાથે દેખાય છે તેમ જ મહાવીરના જીવનપ્રસંગમાં પણ ગોવાળિયાઓને વારંવાર સંબંધ નજરે પડે છે ત્યારે તે બીજા પક્ષના સંભવને કાંઈક ટેકે મળે છે. પરન્તુ અત્યારે આપણુ પાસે અને સંસ્કૃતિનું જે સાહિત્ય છે અને જે સાહિત્યમાં મહાવીર અને કૃષ્ણની ઉપર વર્ણવેલી ઘટનાઓ સંક્ષેપ કે વિસ્તારથી સમાનરૂપે કે અસમાનરૂપે આલેખાયેલી નજરે પડે છે, તે જોતાં બીજા પક્ષની સંભવકેટિ છોડી ત્રીજા પક્ષની નિશ્ચિતતા તરફ મને જાય છે અને એમ એક્કસ લાગે છે કે મૂળમાં ગમે તેમ હે, પણ અત્યારે ઉપલબ્ધ સાહિત્યમાં જે બન્ને વર્ણને ૧ 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy