________________
૨૫૬ ]
દર્શન અને ચિંતન ભિક્ષુના હાથે પણ થયેલ હિંસાપ્રધાન યુદ્ધો જોઈ એ છીએ. આ બધું તાં જૈન સંસ્કૃતિનું વૈદિક સંસ્કૃતિથી તદ્દન ભિન્ન લક્ષણ કાયમ રહ્યું છે, અને તે એ કે, તે સંસ્કૃતિ કઈ પણ જાતની વ્યક્તિગત કે સમષ્ટિગત હિંસામાત્રને નિર્બળતાનું ચિહ્ન માને છે અને તેથી તેવી પ્રવૃત્તિને તે છેવટે પ્રાયશ્ચિત્તને વેગ માને છે; જ્યારે વૈદિક સંસ્કૃતિ વ્યક્તિગત રીતે અહિંસા તત્વની બાબતમાં જૈન સંરકૃતિ પ્રમાણે માન્યતા ધરાવતી હોવા છતાં સમષ્ટિની દૃષ્ટિએ સ્પષ્ટ ઘેષણ કરે છે કે હિંસા એ માત્ર નિર્બળતાનું ચિહ્ન છે એમ નથી, પણ વિશેષ અવસ્થામાં તે એ ઊલટું બળવાનનું ચિહ્ન છે, તે આવશ્યક અને વિધેય છે અને તેથી જ તે પ્રસંગવિશેષમાં પ્રાયશ્ચિત્તને પાત્ર નથી. આ જ લેખસંગ્રહની વૈદિક ભાવના સર્વત્ર પુરાણના અવતારમાં અને સ્મૃતિપ્રત્યેના લેકશાસનમાં આપણે જોઈએ છીએ. એ જ ભેદને લીધે ઉપર વર્ણવેલ બને પુરુષોનાં જીવનની ઘટનાઓનું ખોખું એક છતાં તેનું સ્વરૂપ અને તેને ઢાળ જુદે છે. જૈન સમાજમાં ગૃહસ્થ કરતાં ત્યાગીવર્ગ ઘણે ના હેવા છતાં આખા સમાજ ઉપર (પછી ભલે એગ્ય કે અયોગ્ય, વિકૃત કે અવિકૃત પણ) અહિંસાની ભાવનાની જે છાપ છે અને વૈદિક સમાજમાં સંન્યાસી પરિવ્રાજક વર્ગ પ્રમાણમાં ઠીક ઠીક મોટો હોવા છતાં તે સમાજ ઉપર પુરોહિત ગૃહસ્થવર્ગની અને ચાતુર્વણિક લેકસંગ્રહવૃત્તિની જે પ્રબળ અને વધારે અસર છે તેને ખુલાસે આપણે ઉપર કહેલ સંસ્કૃતિભેદમાંથી, બહુ સરળતાથી મેળવી શકીએ છીએ. ૨. ઘટણવર્ણનેની પરીક્ષા
હવે બીજા દષ્ટિબિન્દુ વિશે વિચારવાનું પ્રાપ્ત થાય છે. તે દષ્ટિબિન્દુ ઉપર કહ્યા મુજબ “એ ઘટનાઓના વર્ણનનો પરસ્પર એકબીજા ઉપર કાંઈ પ્રભાવ પડ્યો છે કે નહિ, અને એમાં કેટકેટલે ફેરફાર કે વિકાસ સધાય છે એની પરીક્ષા કરવી –એ છે.
આ બાબતમાં સામાન્ય રીતે ચાર પક્ષે સંભવે છે?
(૧) વૈદિક અને જૈન બને સમ્પ્રદાયના પ્રત્યેનું ઉપર્યુક્ત ઘટનાવાળું વર્ણન એકબીજાથી તદ્દન સ્વતન્ત્ર હોઈ અરસપરસ એકબીજા ઈની અસર વિનાનું છે.
(૨) ઉક્ત વર્ણન અતિ સમાન અને બિંબ–પ્રતિબિંબ જેવું હોવાથી તદ્દન સ્વતન્ન નહિ, છતાં કઈ સામાન્ય ભૂમિકામાંથી ઉત્પન્ન થયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org