________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
{ ૨૪૫
સ્થાન
અને વિસ્તૃત આવે છે. અંગપ્રન્થામાં સ્થાન ન પામેલ રામચંદ્રજીની કથા પણ પાછલા શ્વેતામ્બર–દિગમ્બર બન્નેના પ્રાકૃત-સંસ્કૃત કથાસાહિત્યમાં વિશિષ્ટ લે છે, અને તેમાં વાલ્મીકિ રામાયણને સ્થાને જૈન રામાયણ બની જાય છે. એ તો દેખીતું જ છે કે શ્વેતામ્બર અને દિગમ્બર બન્નેના વાઙમયમાં રામ અને કૃષ્ણની કથા બ્રાહ્મણવાડ્મય જેવી ન જ હોય, તેમ છતાં એ કથા અને તેના વનની જૈન શૈલી શ્વેતાં એમ સ્પષ્ટ જણાઈ આવે છે કે એ કથા મૂળમાં બ્રાહ્મણસાહિત્યની જ હાવી જોઈએ અને તે લોકપ્રિય થતાં તેને જૈન સમ્પ્રદાયમાં પણ જૈન દષ્ટિએ સ્થાન અપાયેલું હાવું જોઈએ. આ બાબત આગળ વધારે સ્પષ્ટ થશે. આશ્ચર્યની વાત એ છે કે જૈન સંસ્કૃતિથી પ્રમાણમાં વિશેષ ભિન્ન એવી બ્રાહ્મણસંસ્કૃતિના માન્ય રામ અને કૃષ્ણ એ એ પુરુષોએ જૈન વાડ્મયમાં જેટલું સ્થાન કર્યું છે, તેના હજારમા ભાગનું સ્થાન પણ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમની સંસ્કૃતિને પ્રમાણમાં વધારે નજીક એવા તથાગત બુદ્ધના વર્ણને રાકયું નથી. મુને અસ્પષ્ટ નામનિર્દેશ માત્ર અંગપ્રન્થમાં એકાદ જગ્યાએ દેખાય છે, જોકે તેમના તત્ત્વજ્ઞાનનાં સૂચને પ્રમાણમાં વિશેષ મળે છે. આ તે બૌદ્ધ અને જૈન ગ્રન્થામાં રામ અને કૃષ્ણની કથા વિશે વાત થઈ, પણ હવે બ્રાહ્મણશાસ્ત્રમાં મહાવીર અને યુદ્ધના નિર્દેશ વિશે જોઈ એ.
પુરાણુ પહેલાંના કાઇ બ્રાહ્મગ્રન્થમાં તેમ જ વિશેષ પ્રાચીન મનાતાં પુરાણામાં અને મહાભારત સુધ્ધાંમાં બુદ્ધને નિર્દેશ કે તેમનું બીજું વર્ણન કાંઇ ધ્યાન ખેંચે એવું નથી, છતાં એ જ બ્રાહ્મણસસ્કૃતિના અતિપ્રસિદ્ધ અને બહુમાન્ય ભાગવતમાં ખુદ્દ વિષ્ણુના એક અવતાર તરીકે બ્રાહ્મણુમાન્ય સ્થાન પામે છે—જેમ જૈન ગ્રન્થામાં કૃષ્ણ એક ભાવી અવતાર ( તીર્થંકર ) તરીકે સ્થાન પામે છે. આ રીતે પ્રથમના બ્રાહ્મણસાહિત્યમાં સ્થાન નહિ પામેલ અહુ માટે મોડે પણ તે સાહિત્યમાં એક અવતાર તરીકે પ્રતિષ્ઠા પામે છે; જ્યારે ખુદ મુદ્દે ભગવાનના સમકાલીન અને બુદ્ધની સાથેાસાથે બ્રાહ્મણુસંસ્કૃતિના પ્રતિસ્પર્ધી તેજસ્વી પુરુષ તરીકે એક વિશિષ્ટ સમ્પ્રદાયનું નાયકપદ ધરાવનાર ઐતિહાસિક ભગવાન મહાવીર કાઈ પણ પ્રાચીન કે અર્વાચીન બ્રાહ્મણુગ્રન્થમાં
સ્થાન પામતા નથી. અહીં વિશેષ ધ્યાન ખેંચે એવી બાબત તો એ છે કે જ્યારે મહાવીરના નામને કે તેમના વનવૃત્તને કશા જ નિર્દેશ બ્રાહ્મણસાહિત્યમાં નથી ત્યારે ભાગવત જેવા લોકપ્રિય ગ્રન્થમાં જૈન સમ્પ્રદાયના પૂજ્ય અને અતિપ્રાચીન મનાતા પ્રથમ તીર્થંકર ઋષભદેવની જીવનકથા સંક્ષેપમાં છતાં માર્મિક અને આદરણીય સ્થાન પામી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org