SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪. ]' દર્શન અને ચિંતન અમે સ્વાસ્થ્યની અપેક્ષા રાખે છે તે આજે નથી. તેથી અત્રે બહુ જ પરિમિત રૂપમાં સરખામણી કરવા ધારી છે; મહાવીરના જન્માણુથી માંડી કૈવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના વનના કેટલાક અનાવે કૃષ્ણના જન્માણથી માંડી કંસવધ સુધીના કેટલાક અનાવા સાથે સરખાવવા ધાર્યા છે, આ સરખામણી મુખ્યપણે ત્રણ દૃષ્ટિબિન્દુએ લક્ષ્યમાં રાખી કરવામાં આવેલી છે : : (૧) પહેલું તે એ કે બન્નેના જીવનની ઘટનાઓમાં સંસ્કૃતિભેદ શે છે? ’—એ તારવવુ. * (૨) બીજું એ કે · એ ઘટનાઓના વર્ણનના પરસ્પર એકબીજા ઉપર કાંઈ પ્રભાવ પાડ્યો છે કે નહિ ? અને એમાં કેટકેટલા ફેરફાર કે વિકાસ સધાયો છે ? ’—એની પરીક્ષા કરવી. (૩) ત્રીજી' દૃષ્ટિબિન્દુ એ છે કે ‘ લોકોમાં ધર્મબ્રાવના જાગ્રત રાખવા તેમ જ સમ્પ્રદાયના પાયા મજબૂત કરવા મુખ્યપણે કઈ જતના સાધનનો ઉપયોગ કથાપ્રન્થામાં કે જીવનવૃત્તાન્તોમાં થતો ?’--તેનું પૃથક્કરણ કરવું અને ઔચિત્ય વિચારવું. પરસમ્પ્રદાયનાં શાસ્ત્રોમાં પણ મળી આવતાં નિર્દેશ અને વહુના ઉપર કહેલ દૃષ્ટિબિન્દુએથી કેટલીક ઘટનાઓની નોંધ કરીએ તે પહેલાં અહી એક બાબત ખાસ નોંધી લેવી યાગ્ય છે, જે વિચારકાને કૌતુકવયં ક છે, એટલું જ નહિ, પણ જે અનેક ઐતિહાસિક રહસ્યોના ઉદ્ઘાટન અને તેના વિશ્લેષણ વાસ્તે તેમની પાસેથી સતત અને અવલોકનપૂર્ણ` મધ્યસ્થ પ્રયત્નની અપેક્ષા રાખે છે. તે બાબત એ છે કે બૌદ્ધ પિટામાં જ્ઞાતપુત્ર તરીકે ભગવાન મહાવીરના અનેક વાર સ્પષ્ટ નિર્દેશ આવે છે, પણ તેમાં રામ કે કૃષ્ણ કાઈ ને નિર્દેશ નથી. કાંઈક પાછળના બૌદ્ધ જાતામાં (જીએ દશરથજાતક ન. ૪૬૧) રામ અને સીતાની કથા આવે છે, પણ તે વાલ્મીકિના વર્ષોંન કરતાં તદ્દન જુદી જાતની છે, કેમ કે એમાં સીતાને રામની બહેન તરીકે વર્ણ વેલ છે. કૃષ્ણની કથાના નિર્દેશ તે કાઈ પણ પાછળના બૌદ્ધ ગ્રન્થમાં સુધ્ધાં અદ્યાપિ અમારા જોવામાં આવ્યા નથી; જ્યારે જૈન શાસ્ત્રમાં રામ અને કૃષ્ણ એ બન્નેની જીવનકથાએ ઠીકઠીક ભાગ રાયો છે. આગમ તરીકે લેખાતા અને પ્રમાણમાં અન્ય આગમગ્રન્થા કરતાં પ્રાચીન મનાતા અંગ સાહિત્યમાં જોકે રામચંદ્રજીની કથા નથી, છતાં કૃષ્ણની કથા તે બે અંગ (જ્ઞાતા અને અંતગડ) ગ્રન્થામાં સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy