SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [: ૧૪૩ તેના પૂજા પ્રકારે જુઓ, અગર તેમનાં મંદિરની રચના અને સ્થાપત્ય જુઓ તે પણ તેમાં એ પ્રવૃત્તિ અને નિવૃત્તિચક્રના આદર્શની ભિન્નતા સ્પષ્ટ જોઈ શકાશે. ઉક્ત ચાર મહાન પુરુષમાં એક બુદ્ધને બાદ કરીએ તે સામાન્ય રીતે એમ કહી શકાય કે બાકીના ત્રણેય પુરુષોની પૂજા, તેમના સમ્પ્રદાયે અને તેમને અનુયાયી વર્ગ હિન્દુસ્તાનમાં જ અસ્તિત્વ ધરાવે છે; જ્યારે બુદ્ધની પૂજા, સમ્પ્રદાય તથા તેમને અનુયાયી વર્ગ એશિયાવ્યાપી છે. રામ અને કૃષ્ણના આદર્શોને પ્રચારકવર્ગ મુખ્યપણે પુરોહિત હે તે ગૃહસ્થ છે, જ્યારે મહાવીર અને બુદ્ધના આદર્શોનો પ્રચારકવર્ગ લાગી હોઈ તે ગૃહસ્થ નથી. રામ અને કૃષ્ણના ઉપાસકેમાં હજારે સંન્યાસીઓ હોવા છતાં તે સંસ્થા મહાવીર અને બુદ્ધના ભિક્ષુસંધ જેવી તન્નબદ્ધ અથવા વ્યવસ્થિત નથી. ગુરુપદ ધરાવતી હજારે સ્ત્રીઓ આજે પણ મહાવીર અને બુધના ભિક્ષુસંધમાં વર્તમાન છે; જ્યારે રામ અને કૃષ્ણના ઉપાસક સંન્યાસીવર્ગમાં એ વસ્તુ નથી. રામ અને કૃષ્ણના મુખેથી સાક્ષાત ઉપદેશયેલ કોઈ પણ શાસ્ત્ર હવા વિશેનાં પ્રમાણે નથી; જ્યારે મહાવીર અને બુદ્ધના મુખેથી સાક્ષાત્ ઉપદેશામેલ થડા પણ ભાગે નિર્વિવાદ અસ્તિત્વ ધરાવે છે. રામ અને કૃષ્ણને નામે ચડેલાં શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે, જ્યારે મહાવીર અને બુદ્ધના ઉપદેશો તત્કાલીન પ્રચલિત લેકભાષામાં છે. સરખામણીની મર્યાદિતતા અને તેનાં દષ્ટિબિન્દુઓ હિન્દુસ્તાનમાં સાર્વજનિક પૂજા પામેલ ઉપરના ચાર મહાન પુરુષોમાંથી કિઈ પણ એકના જીવન વિશે વિચાર કરવો હોય કે તેના સમ્પ્રદાય, તત્વજ્ઞાન અને કાર્યક્ષેત્રનો વિચાર કરવો હોય તે બાકીના ત્રણેયને લગતી તે તે વસ્તુને વિચાર સાથે જ કરો પ્રાપ્ત થાય છે, કારણ કે, આ આખા દેશમાં એક જ જાતિ અને એક જ કુટુમ્બમાં ઘણું વાર ઉક્ત ચારેય પુરુષો અથવા તેમાંથી એક કરતાં વધારે પુરુષોની પૂજા અને માન્યતા પ્રચલિત હતી અને અત્યારે પણ છે. તેથી એ પૂજ્ય પુરુષોના આદર્શો મૂળમાં ભિન્ન ભિન્ન હોવા છતાં પાછળથી તેમાં અરસપરસ ઘણી આપલે થઈ છે અને કોઈ વાર એકનો તો કઈ વાર બીજાને પ્રભાવ અરસપરસ પડ્યો છે. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ આ સ્થળે તે ધર્મવીર મહાવીરના જીવન સાથે કર્મવીર કૃષ્ણના જ જીવનની સરખામણી કરવા ધારી છે; અને આ બન્ને મહાન પુરુષોના જીવનપ્રસંગની સરખામણું પણ આ સ્થળે માત્ર અમુક ભાગ પૂરતી જ કરવા ધારી છે. સમગ્ર જીવનવ્યાપી સરખામણી અને ચારેય પુરુષોની સાથે સાથે વિસ્તૃત સરખામણી જે સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy