________________
૨૪.
દર્શન અને ચિંતન અને વહેમના કિલ્લાની સાથે સાથે તેના અધિષ્ઠાયક અદશ્ય દેવોની પૂજાને ભારે આઘાત પહોંચ્યું. ભગવાન મહાવીર અને બુદ્ધિને યુગ એટલે ખરેખર મનુષ્યપૂજાને યુગ. આ યુગમાં સેંકડે અને હજારે નરનારીઓ ક્ષમા, સંતોષ, તપ, ધ્યાન આદિ ગુણ કેળવવા જિંદગી આપે છે અને તે ગુણોની પરાકાષ્ઠાએ પહેચેલ એવી પિતાની શ્રદ્ધાસ્પદ મહાવીરબુદ્ધ જેવી મનુષ્ય વ્યક્તિઓની ધ્યાન દ્વારા કે મૂર્તિ દ્વારા પૂજા કરે છે. આ રીતે માનવપૂજાને ભાવ વધવાની સાથે જ દેવમૂર્તિનું સ્થાન મનુષ્યમૂર્તિ વિશેષ પ્રમાણમાં
મહાવીર અને બુદ્ધ જેવા તપસ્વી, ત્યાગી અને જ્ઞાની પુરુષો દ્વારા સગુણની ઉપાસનાને વેગ મળ્યો અને તેનું પરિણામ ક્રિયાકાપ્રધાન બ્રાહ્મણ સંસ્કૃતિ ઉપર સ્પષ્ટ આવ્યું. તે એ કે જે બ્રાહ્મણસંસ્કૃતિ એક વાર દેવ, દાનવ અને દૈત્યેની ભાવનામાં તથા ઉપાસનામાં મુખ્યપણે મશગૂલ હતી, તેણે પણ મનુષ્યપૂજાને સ્થાન આપ્યું. લેકે હવે અદશ્ય દેવને બદલે કોઈ મહાન વિભૂતિરૂપ મનુષ્યને પૂજેવા, માનવા અને તેનો આદર્શ જીવનમાં. ઉતારવા તત્પર હતા. એ તત્પરતા શમાવવા બ્રાહ્મણસંસ્કૃતિએ પણ રામ અને કૃષ્ણના માનવીય આદર્શો રજૂ કર્યા તેમ જ તેમની મનુષ્ય તરીકેની પૂજા ચાલી. મહાવીરબુદ્ધયુગ પહેલાં રામ-કૃષ્ણની આદર્શ મનુષ્ય તરીકેની વિશિષ્ટ પૂજા કે પ્રતિષ્ઠાનાં ચિહ્નો ક્યાંય શાસ્ત્રમાં દેખાતાં નથી. તેથી ઊલટું મહાવીર–બુદ્ધયુગ પછી કે તે યુગની સાથે સાથે રામ અને કૃષ્ણની મનુષ્ય તરીકેની પૂજા પ્રતિષ્ઠાનાં પ્રમાણે આપણને સ્પષ્ટ મળી આવે છે. તેથી અને બીજાં સાધનોથી એમ માનવાને ચોકકસ કારણ મળે છે કે માનવીય પૂજાપ્રતિષ્ઠાનો પાકે પાયો મહાવીર–બુદ્ધના યુગથી નંખાય છે અને દેવપૂજક વર્ગમાં પણ મનુષ્યપૂજાના વિવિધ પ્રકારે અને સમ્પ્રદાયો શરૂ થાય છે. મનુષ્યપૂજામાં દૈવીભાવનું મિશ્રણ
લાખે અને કરે માણસના મનમાં જે સંસ્કારે સેંકડો અને હજારે વર્ષો થયાં રૂઢ થએલા હોય છે તે કોઈ એકાદ પ્રયત્નથી કે થોડા વખતમાં બદલવા શક્ય નથી હોતાં તેથી અલૌકિક દેવમહિમા, દૈવી ચમત્કારો અને દેવપૂજાની ભાવનાના સંસ્કાર પ્રજામાનસમાંથી મૂળમાંથી ખસ્યા ન હતા. તેને લીધે બ્રાહ્મણસંસ્કૃતિએ રામ અને કૃષ્ણ જેવા પુરુષોને આદર્શ તરીકે મૂકી તેમની પૂજાપ્રતિષ્ઠા શરૂ કરી, છતાં પ્રજામાનસ દેવીભાવ સિવાય સંતુષ્ટ થાય એવી સ્થિતિમાં આવ્યું ન હતું. તેને લીધે તે વખતના બ્રાહ્મણસંસ્કૃતિના આગેવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org