________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
[ ૨૪૧ વિદ્વાનોએ જે રામ અને કૃષ્ણને મનુષ્ય તરીકે આલેખ્યા-વર્ણવ્યા, છતાં તેમના આન્તરિક અને બાહ્ય જીવન સાથે અદશ્ય દેવી અંશ અને અદશ્ય દૈવી કાર્યને સંબંધ પણ જોડી દીધો. એ જ રીતે મહાવીર અને બુદ્ધ આદિના ઉપાસકેએ એમને શુદ્ધ મનુષ્ય તરીકે જ આલેખ્યા, છતાં તેમના જીવનના કઈ ને કઈ ભાગ સાથે અલૌકિક દેવતાઈ સંબંધ પણ જોડી દીધે. બ્રાહ્મણસંસ્કૃતિ એક અને અખંડ આત્મતત્વને માનનારી હેવાથી તેણે પોતાના તત્વજ્ઞાનને બંધબેસે તેમ જ સ્થૂળ લેકની દેવપૂજાની ભાવના સંતોષાય એ રીતે રામ અને કૃષ્ણના મનુષ્યજીવનને દેવી ચીતર્યું. એણે પરમાત્મા વિષ્ણુને જ રામ અને કૃષ્ણના માનવીય રૂપમાં અવતાર લીધાનું વર્ણવ્યું. જ્યારે શમણુસંસ્કૃતિ આત્મભેદ માનનારી અને કર્મવાદી હોવાને લીધે પિતાના તત્વજ્ઞાનને બંધબેસે એવી રીતે જ એણે પિતાના આદર્શ ઉપાસ્ય મનુષ્યને વર્ણવ્યા અને લેકેની દેવીપૂજાની ભૂખ ભાંગવા તેણે પ્રસંગે પ્રસંગે દેવોને અનુચરે અને ભક્તિરૂપે મહાવીર, બુદ્ધ આદિ સાથે સંબંધ જોડ્યો. આ રીતે એક સંસ્કૃતિમાં મનુષ્યપૂજ દાખલ થયા છતાં તેમાં દિવ્ય અંશ જ મનુષ્યરૂપે અવતાર લે છે, એટલે એમાં આદર્શ મનુષ્ય એ માત્ર અલૌકિક દિવ્યશક્તિને પ્રતિનિધિ બને છે; જ્યારે બીજી સંસ્કૃતિમાં મનુષ્યને જ પિતાના સગુણ માટેના પ્રયત્નથી દેવ બને છે અને તેમાં મનાતા અદશ્ય દે તે માત્ર પેલા આદર્શ મનુષ્યના અનુચરે અને ભકતિ થઈ એની પાછળ પાછળ દોડે છે. ચાર મહાન આર્ય પુરુષો
મહાવીર અને બુદ્ધની ઐતિહાસિકતા નિર્વિવાદ હેવાથી એમાં સંદેહને અવકાશ નથી; જ્યારે રામ અને કૃષ્ણની બાબતમાં એથી ઊલટું છે. એમના ઐતિહાસિકલ વિશે જોઈતાં સ્પષ્ટ પ્રમાણે ન હોવાથી તે વિશે પરસ્પર વિરોધી અનેક કલ્પનાઓ પ્રવર્તે છે. તેમ છતાં રામ અને કૃષ્ણનું વ્યક્તિત્વ પ્રજમાનસમાં એટલું બધું વ્યાપક અને ઊંડુ અંકિત થયેલું છે કે પ્રજાને મન તે એ બન્ને મહાન પુરુષો સાચા એતિહાસિક જ છે. ભલે વિદ્વાનો અને સંશોધકોમાં એમના ઐતિહાસિક વિશે વાદવિવાદ કે ઊહાપોહ ચાલ્યા કરે અને તેનું ગમે તે પરિણામ આવે, છતાં એ મહાન પુરુષોના વ્યક્તિત્વની પ્રજામાનસ ઉપર પડેલી છાપ જોતાં એમ કહેવું પડે છે કે પ્રજાને મન તો એ બને પુરુષો પોતાના હૃદયહાર છે. આ રીતે વિચાર કરતાં આર્ય પ્રજામાં મનુષ્ય તરીકે પૂજતા ચાર જ મહાન પુરુષો આપણી સામે ઉપસ્થિત
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org