________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
[ ]. દેવીપૂજામાંથી મનુષ્યપૂજાને ક્રમિક વિકાસ
જેમ બીજા દેશે અને બીજી પ્રજામાં તેમ આ દેશ અને આર્ય પ્રજામાં પણ જૂના વખતથી ક્રિયાકાષ્ઠ અને વહેમનાં રાજ્યની સાથે સાથે થોડા પણ આધ્યાત્મિક ભાવ હતો. વૈદિક મન્ત્રયુગ અને બ્રાહ્મણયુગના વિસ્તૃત અને જટિલ ક્રિયાકાઠે જ્યારે થતાં ત્યારે પણ આધ્યાત્મિક ચિંતન, તપનું અનુષ્ઠાન અને ભૂતયાની ભાવના એ તો પ્રજામાં ઓછા પ્રમાણમાં પણ પ્રવર્તતાં હતાં. ધીમે ધીમે સગુણોને મહિમા વધવા લાગે અને ક્રિયાકલાપ તથા વહેમનું રાજ્ય ઘટતું ચાલ્યું. જેમ જેમ પ્રજાના માનસમાં સદ્ગણોની પ્રતિષ્ઠાએ સ્થાન મેળવ્યું તેમ તેમ તેના માનસમાંથી ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠાએ સ્થાન ગુમાવ્યું. ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠા સાથે હંમેશાં અદશ્ય શક્તિનો સંબંધ જોડાયેલું હોય છે. જ્યાં સુધી કોઈ અદશ્ય શક્તિ (પછી તે દેવ, દાનવ, દત્ય, ભૂત, પિશાચ કે એવા બીજા કેઈ ગમે તે નામથી ઓળખવામાં આવે) માનવામાં કે મનાવવામાં ન આવે ત્યાં સુધી ક્રિયાકાણે કે વહેમ ચાલી કે જીવી શકે જ નહિ; એટલે ક્રિયાકાંડો અને વહેમના રાજ્ય વખતે તેની સાથે દેવપૂજા અનિવાર્યરૂપે સંકળાયેલી હોય એ તદન સ્વાભાવિક છે. એથી ઊલટું સદ્ગણોની ઉપાસના અને પ્રતિષ્ઠા સાથે કોઈ અદશ્ય દેવશક્તિનો નહિ, પણ પ્રત્યક્ષ દેખી શકાય એવી મનુષ્યવ્યક્તિને સંબંધ હોય છે. સગુણની ઉપાસના કરનાર કે બીજા પાસે તે આદર્શ રજૂ કરનાર વ્યક્તિ કોઈ વિશિષ્ટ મનુષ્યને જ પિતાને આદર્શ માની તેનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે. એટલે સદ્ગુણની પ્રતિષ્ઠા વધવાની સાથે સાથે અદશ્ય એવા દેવની પૂજાનું સ્થાન દૃશ્ય મનુષ્યની પૂજા લે છે. મનુષ્યપૂજાની પ્રતિષ્ઠા
જે કે સગુણની ઉપાસના અને મનુષ્યપૂજા પ્રથમથી વિકસિત થતાં આવતાં હતાં, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધ એ બે મહાન પુરુષોના સમયમાં એ વિકાસે અસાધારણ વિશેષતા પ્રાપ્ત કરી, જેને લીધે ક્રિયાકાંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org