________________
ટૂંક પરિચય
થયા. પરીક્ષા આપવા ગયા તે શહીઓ માથાને મળ્યો : સુખલાલજી લખાવે કંઈ અને લહી લખે કંઈ! એમણે પિતાની મુશ્કેલી કૅલેજના પ્રિન્સિપાલ શ્રી વેનિસ સાહેબને કહી. એ અંગ્રેજ વિદ્વાને, વિદ્યાર્થીનું દિલ પારખીને, તરત મૌખિક પરીક્ષાની ગોઠવણ કરી દીધી અને પોતે પણ પરીક્ષકની સાથે બેઠા. પંડિતજીના ઉત્તર સાંભળી શ્રી. વેનિસ ખૂબ રાજી થયા. અને પરીક્ષકોમાંના એક શ્રી. વામાચરણ ભટ્ટાચાર્ય તે એટલા પ્રસન્ન થયા કે એમણે સુખલાલજીને પિતાની પાસે ભણવા આવવાનું કહ્યું. પંડિતજીનું વિદ્યાર્થી જીવન ધન્ય બન્યું.
આ પછી ન્યાયના આચાર્યના ત્રણ ખંડની પરીક્ષા પણ આપી દીધી. પણ છેલ્લી પરીક્ષા વખતે, વિ. સં. ૧૯૬માં, પરીક્ષકનો એવો કડવો અનભવ થશે કે પરીક્ષા માટે એ કોલેજ-ભવનમાં ફરી નહીં પ્રવેશવાને સંકલ્પ કરીને પંડિતજી ચાલતા થયા ! આ પછી છેક ૨૨-૨૩ વર્ષ, વિ. સં. ૧૯૯રમાં, પાઠ્યક્રમસંશોધન સમિતિના સભ્ય તરીકે જ તેઓ એ ભવનમાં માનપૂર્વક ગયા !
મિથિલાને પ્રવાસ વિ. સં. ૧૯૬૬-૬૭ સુધીમાં બનારસમાંથી પોતે જે કંઈ મેળવી શકે એમ હતું તે મેળવી લીધું હતું, અને છતાંય જિજ્ઞાસા તે વધતી જ જતી હતી. એટલે મન હવે બિહારના વિદ્યાધામ મિથિલા પ્રદેશ તરફ દોડવા લાગ્યું.
મિથિલા પ્રદેશ એટલે દરિદ્રતાની જ ભૂમિ. પણ ત્યાંના વિદ્યાધન જ્ઞાનતપસ્વી પંડિત વિઘાના એવા વ્યાસંગી કે દરિદ્રતાનું દુઃખ જ વીસરી જાય. પંડિતજીએ મુખ્ય મથક તો બનારસમાં જ રાખ્યું, પણ અવારનવાર ત્યાં જઈને વિધાઅધ્યયન કરી આવે. ત્યાંના એમના અધ્યયનને ખાસ વિષય હતો નવ્યન્યાયનો.
મિથિલામાં ખાવાનું તે મુખ્ય ભાત-દાળ-શાક જ પણ ક્યારેક દહીં મળી જાય તે જમણવાર જેવું લાગતું ત્યાંનાં ટાઢ અને વરસાદ પણ તેબા પોકરાવે એવાં; એમાં રહેવાનું ઘાસફૂસના છાપરામાં અને સુવાનું ઘાસની પથારીમાં.
પંડિતજી પાસે એક ગરમ વેટર–જિંદગીમાં પહેલી જ વાર ખરીલું. સખત શિયાળા ચાલે. ગુરજીએ એનાં બહુ વખાણ કર્યા. પંડિતજી સમજી ગયા ? પિતાનું શું થશે એની ચિંતા કર્યા વગર એ ગુરુજીને અર્પણ કરી દીધું અને પોતે ધાસની પથારી અને જર્જરિત કાંબળાના આધારે શિયાળો વિતાવી દીધું.
મિથિલા પ્રદેશમાં પંડિતજી ત્રણ ગામોમાં ફર્યા. પણ દરભંગામાં જે ગુરુ મળ્યા તેથી એમણે પિતાને પરિશ્રમ સફળ થયો લાગે. મહામહોપાધ્યાય શ્રી.
[૨૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org