________________
પંડિત સુખલાલજી અભ્યાસમાં નિમગ્ન બની ગયા. વિ. સં. ૧૯૬૩ની સાલ સુધીમાં, માત્ર ત્રણ જ વર્ષમાં, અઢાર હજાર લેક પ્રમાણ સિદ્ધહેમ' વ્યાકરણ એમણે કંઠસ્થ કરી લીધું. (આજે પણ એ વ્યાકરણનાં સૂત્રે જાણે પંડિતજીની આંગળીઓનાં ટેરે બેઠાં હોય એ રીતે તેઓ એને યાદ કરી શકે છે.) વ્યાકરણની સાથે સાથે ન્યાય અને સાહિત્યના અભ્યાસનો પણ પ્રારંભ કરી દીધો હતો.
અભ્યાસ વધતો ગયો તેમ જિજ્ઞાસા પણ વધતી જ ગઈ અને નવ નવે પુરુષાર્થ કરવાની પ્રેરણું કરતી જ રહી. સુખલાલને લાગ્યું કે હવે અભ્યાસમાં ધારી રીતે આગળ વધી શકાય એવું પાઠશાળાનું વાતાવરણ નથી, એટલે તેઓ સંસ્થાથી જુદા થઈને બનારસમાં જ ગંગા તીરે, ભદૈનીધાટ ઉપર રહેવા લાગ્યા. સાથે એમના મિત્ર વ્રજલાલજી પણ ગયા.
બનારસ જેટલો દૂર દેશ, કઈ સગુંવહાલું નહીં, પાસે પૈસાની પૂરતી સગવડ પણ નહીં—પણ જિજ્ઞાસા સંતોષવા માટેના પુરુષાર્થની આડે આ કઈ વિચાર સુખલાલને આવ્યો નહીં. છતાં દિવસે તે કઠણાઈના હતા જ ઃ ઓછામાં ઓછી જરૂરિયાતને પૂરી કરવા માટે ખપપૂરતા પૈસા તે જોઈએ જ ને ! પણ બન્ને યુવાને સ્વપનદર્શી બન્યા હતા. એમણે વિચાર્યું : અહીંયાં આર્થિક સગવડ મળી જાય તે ઠીક, નહીં તે અમેરિકાના મિ. રૉકફેલર ઘણી સ્કેલશ આપે છે, તે એ મેળવીને જઈ પહોંચીશું અમેરિકા ! પણ ભાવિ યોગે જરૂરી આર્થિક સગવડ મળી ગઈ અને અમેરિકાને વિચાર વિસારે પડ્યો,
હવે તે વિદ્યા-ઉપાર્જનને ખરેખર સમય શરૂ થશે. તે કાળે વણિક વિદ્યાથીને બ્રાહ્મણ પડતે પાસેથી સંસ્કૃત વિદ્યા શીખવી ભારે કઠણ કામ હતું. પણ, બળબળતા તાપમાં કે કડકડતી ટાઢમાં, રોજ આઠ-દસ માઈલ ચાલીને અને પંડિતાને ઘેર ઘેર ફરીને પણ તેઓ થાક્યા નહીં. છેવટે ગુરુઓને પ્રસન્ન કરીને તેઓએ પિતાને હેતુ પાર પાડવ્યો. ધીરે ધીરે સુખલાલ, પંડિત સુખલાલજી બનવા લાગ્યા અને એમનું જ્ઞાન તલસ્પર્શી બનવા લાગ્યું.
આ ગંગાતીરના વસવાટ દરમ્યાન, કોઈ કોઈ વાર, પંડિતજી હાથને કાંડે દેરડું બાંધી, એને છે કેઈને સોંપી, ગંગાસ્નાનને આનંદ માણું લેતા. એક વાર, ઓસરત પૂર, કારતક માસમાં, એમ ને એમ નદીમાં ઝંપલાવ્યું અને લાગ્યા તણવા; પણ એમના મિત્ર વ્રજલાલજી વખતસર મદદે જઈ ચડયા. વિ. સં. ૧૯૬૬માં સુખલાલજીને ન્યાયાચાર્યની પરીક્ષા આપવાનું વિચાર
[ ૨૦].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org