SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ટૂંક પરિચય વાંચી-વિચારીને મુખપાઠ કરી લીધા. અનેક સંસ્કૃત રચનાઓ અને રાસાઓ, સ્તવને, સઝાયો જેવી સંખ્યાબંધ ગુજરાતી કૃતિઓ કંઠસ્થ થઈ ગઈ. હવે નવું કહ્યું ત્યાં મળી શકે એમ ન લાગ્યું. બીજી બાજુ શાસ્ત્રજ્ઞાનને વ્યવસ્થિત કરવું હોય તે સંસ્કૃત ભાષાનું પૂરું જ્ઞાન મેળવ્યા વગર ન ચાલે એ પણ સમજાયું. સારસ્વત વ્યાકરણ તો પૂજ્ય લાધાજી સ્વામી અને તેમના વિદ્વાન શિષ્ય પૂજ્ય ઉત્તમચંદજી સ્વામી પાસે ભણી લીધું જ હતું, પણ એથી સંતોષ કેમ થાય ? અને સંસ્કૃતના વિશિષ્ટ અધ્યયનને માટે લીમલી જેવા ગામમાં બીજી સગવડ પણ શી મળે ?– સુખલાલનો આત્મા તલસાટ અનુભવી રહ્યો. પણ હવે કરવું શું? - કાશીમાં વિદ્યાધ્યયન એટલામાં એમણે જાણ્યું કે પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધર્મવિજયજીએ (પછીના શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ) જૈન વિદ્યાથી એ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પંડિત બને એ માટે કાશીમાં શ્રી. યશવિજ્ય જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે. સુખલાલને તે ભાવતું ભોજન મળી ગયું. એમણે કુટુંબીજનોથી છૂપી રીતે પત્રવ્યવહાર કરીને બનારસથી મહારાજશ્રીની અનુમતિ પણ મેળવી લીધી. પણ આવા આંખ વિનાના યુવાનને બનારસ એટલે દૂર મોકલવા માટે કોણ સગાં-વહાલાં તૈયાર થાય? - પણ સુખલાલનું મન મક્કમ હતું. જિજ્ઞાસાને વેગ એટલે પ્રબળ હતો કે એ કશા પણ અવરોધને માનવા તૈયાર ન હતો. સાહસિક વૃત્તિ તે જન્મથી જ મળી હતી. એ વૃત્તિએ જિજ્ઞાસાને સંતોષવા પુરુષાર્થનું રૂપ લીધું. અને એક દિવસે એમણે વડીલને કહ્યું: “તમે હવે કોઈ મને રોકી શકશે નહીં; જવું એ નક્કી જ છે. નકારશે તે અમંગળ થશે હું તે જવાનું જ છું.” પંડિતજી એમના સાથી નાનાલાલ સાથે બનારસ માટે રવાના થયા. સાવ અજાણ્યો પ્રદેશ, બહુ લાંબી મુસાફરી અને સાથી સાવ ભલા–મેળા એટલે રસ્તામાં મુશ્કેલી ઠીક ઠીક પડી. એક વાર તે કુદરતી હાજત માટે એક સ્ટેશને ઊતર્યા તે ગાડી જ ઊપડી ગઈ. પણ છેવટે કાશી પહોંચ્યા ખરા. પંડિતજીના જીવનનું પ્રેરક બળ જાગ્રત જિજ્ઞાસા અને એ માટેના અવિરત પુરુષાર્થમાં જ સમાયેલું છે. એ બેથી એમનું જીવન સદા તાજગીભર્યું બની રહે છે. જિજ્ઞાસાને સંતોષવા તેઓ ગમે તેવો પુરુષાર્થ ખેડવા તૈયાર થઈ જાય છે. - કાશીમાં પહોંચીને, ભૂખ્યો ભજનમાં લાગી જાય એમ, સુખલાલ [૧૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy