SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪] દર્શન અને ચિંતન ૨. સારી નરસી સ્થિતિ, ચડતી પડતી કલા અને સુખદુઃખની સાર્વત્રિક વિષમતાને પૂર્ણપણે ખુલાસો કેવળ ઈશ્વરવાદ કે બ્રહ્મવાદમાંથી મળી શકે તેમ હતું જ નહિ. એટલે સ્વાભાવિક રીતે જ પરાપૂર્વથી ચાલ્યો આવતો વૈયક્તિક કર્મફલને સિદ્ધાન્ત, ગમે તે પ્રગતિશીલ વાદ સ્વીકાર્યા છતાં, વધારે ને વધારે દૃઢ થતે જ ગયે. “જે કરે તે જ ભગવે, “દરેકનું નસીબ જુદું, વાવે તે લણે.” “લણનાર ને ફલ ચાખનાર એક અને વાવનાર બીજે તે અસંભવ–આવા આવા ખ્યાલે કેવળ વૈયક્તિક કર્મફલના સિદ્ધાન્ત ઉપર રૂઢ થયા અને સામાન્ય રીતે પ્રજાજીવનના એકેએક પાસામાં એટલાં ઊંડાં મૂળ ધાલી બેઠા છે કે કોઈ એક વ્યક્તિનું કર્મ માત્ર તેનામાં જ ફલ કે પરિણામ ઉત્પન્ન નથી કરતું પણ તેની અસર તે કર્મ કરનાર વ્યક્તિ ઉપરાંત સામૂહિક જીવનમાં જ્ઞાત-અજ્ઞાત રીતે પ્રસરે છે એમ જે કંઈ કહે તે તે સમજદાર ગણાતા વર્ગને પણ ચેકાવી મૂકે છે, અને દરેક સંપ્રદાયના વિધાને કે વિચારકે એની વિરુદ્ધ પિતાના શાસ્ત્રીય પુરાવાઓને ઢગલે રજૂ કરે છે. આને લીધે કર્મફલન નિયમ વૈયક્તિક હોવા ઉપરાંત સામૂહિક પણ છે કે નહિ અને ન હોય તે કઈ કઈ જાતની અસંગતિઓ અને અનુપપત્તિઓ ઊભી થાય છે અને હોય તો તે દષ્ટિએ જ સમગ્ર માનવજીવનને વ્યવહાર ગોઠવ જોઈએ, એ બાબત ઉપર કોઈ ઊંડો વિચાર કરવા ભતું નથી. સામૂહિક કર્મફલના નિયમની દૃષ્ટિ વિનાના કર્મફલના નિયમે માનવજીવનના ઈતિહાસમાં આજ લગી કઈ કઈ મુશ્કેલીઓ ઊભી કરી છે અને તેનું નિવારણ કઈ દૃષ્ટિએ કર્મફલન નિયમ સ્વીકારી જીવનવ્યવહાર ઘડવામાં છે, એ બાબત ઉપર કઈ બીજાએ આટલે ઊંડો વિચાર કર્યો હોય તો તે હું નથી જાણતે. કેઈ એક પણ પ્રાણી દુઃખી હોય તે હું સુખી સંભવી જ ન શકું, જ્યાં લગી જગત દુઃખમુક્ત ન હોય ત્યાં લગી અરસિક મેક્ષથી શું લાભ? એવા વિચારની મહાયાન ભાવના બૌદ્ધ પરંપરામાં ઉદય પામેલી. એ જ રીતે દરેક સંપ્રદાય સર્વ જગતના ક્ષેમ-કલ્યાણની પ્રાર્થના કરે છે અને આખા જગત સાથે મૈત્રી બાંધવાની બ્રહ્મવાર્તા પણ કરે છે, પરંતુ એ મહાયાન ભાવના કે બ્રહ્મવાર્તા છેવટે વૈયક્તિક કર્મફલવાદના દઢ સંસ્કાર સાથે અફળાઈ જીવન જીવવામાં વધારે ઉપયોગી સાબિત થઈ નથી. પૂ. નાથજી અને મશરૂવાળા બંને કર્મફલના નિયમને સામૂહિક જીવનની દૃષ્ટિએ વિચારે છે. મારા જન્મગત અને શાસ્ત્રીય સંસ્કાર વૈયક્તિક કર્મફલ–નિયમના હોવાથી હું પણ એ જ રીતે વિચાર કરતે, પરંતુ જેમ જેમ તે ઉપર ઊંડો વિચાર કરતે ગયો તેમ તેમ મને લાગ્યું કે કર્મફલને નિયમ સામૂહિક જીવનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy