________________
વિચારકણિકા
[ ૨૦૩
પ્રત્યેક સ્વકર્માંધીન છે અને દરેકના કમ વિષમ અને ઘણીવાર વિરુદ્ધ હાઈ તે પ્રમાણે જ જીવની સ્થિતિ અને તેના વિકાસ હેાઈ શકે. આવી માન્યતાને લીધે બ્રાહ્મણકાળના જન્મસિદ્ધ ધમઁ અને સકારા નક્કી થયેલા છે. એમાં કાઈ એક વર્ગના અધિકારી પોતાની કક્ષામાં રહીને જ વિકાસ કરી શકે, પણ તે કક્ષા ખહાર જઈ વર્ણાશ્રમધર્મનું આચરણ કરી ન શકે. ઇન્દ્રપદ કે રાજ્યપદ મેળવવા માટે અમુક ધમ આચરવા જોઈ એ, પણ તે ધમ રાઈ આચરી ન શકે અને હરકેાઈ તેને આચરાવી પણ ન શકે. આના અર્થ એ જ થયું કે કકૃત વૈષમ્ય સ્વાભાવિક છે અને વગત સમાનતા હાય તાય તે વ્યવહાય તા નથી જ. આત્મસમાનતાના બીજા સિદ્ધાન્ત પ્રમાણે ધડાયેલા આચાર આથી સાવ ઊલટા છે. એમાં ગમે તે અધિકારી અને જિજ્ઞાસુને ગમે તેવા કર્મ સંસ્કાર દ્વારા વિકાસ કરવાની છૂટ છે. એમાં આત્મૌપમ્યમૂલક અહિંસાપ્રધાન યમનિયમેાના આચરણ ઉપર જ ભાર અપાય છે. એમાં કકૃત વૈષમ્યની અવગણના નથી, પણ સમાનતાસિદ્ધિના પ્રયત્નથી તેને નિવારવા ઉપર જ ભાર અપાય છે. આત્માદ્વૈતના સિદ્ધાન્ત તે સમાનતાના. સિદ્ધાન્તથી પણ આગળ જાય છે. તેમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કાઈ વાસ્તવિક ભેદ છે જ નહિ. તે અદ્વૈતમાં તે સમાનતાના વ્યક્તિભેદ પણ ગળી જાય છે. એટલે તે સિદ્ધાન્તમાં કુસંસ્કારજન્ય વૈષમ્ય માત્ર નિવારવા યોગ્ય જ નથી મનાતું, પણ તે તદ્દન કાલ્પનિક મનાય છે. પણ આપણે જોઈએ છીએ કે આત્મસમાનતા અને આત્માદ્વૈતના સિદ્ધાન્તને કટ્ટરપણે માનનારા સુધ્ધાં જીવનમાં કુવૈષમ્યને જ સાહજિક અને અનિવાય માની વર્તે છે. તેથી જ તો આત્મસમાનતાને અનન્ય પક્ષપાત ધરાવનાર જૈન કે તેવા ખીજા ૫થા જાતિગત ઊંચનીચભાવને જાણે શાશ્વત માનીને જ વતતા હાય એમ લાગે છે. તેને લીધે સ્પર્શાસ્પર્શીનું મરણાન્તક ઝેર સમાજમાં ભ્રમથી મુક્ત નથી થતા. તેમને સિદ્ધાન્ત એક દિશામાં છે અને ધર્મો જીવનવ્યવહારનું ગાડું ખીજી દિશામાં છે. એ જ સ્થિતિ અત્યંત સિદ્ધાન્તને માનનારની છે. તે દ્યૂતને જરા પણ નમતું આપ્યા સિવાય વાતો અદ્વૈતની કરે અને આચરણ તે સંન્યાસી સુધ્ધાં પણુ દ્વૈત તેમ જ કવૈષમ્ય પ્રમાણે કરે છે. પરિણામે આપણે જોઈએ છીએ કે તત્ત્વજ્ઞાનના અદ્વૈત સુધી વિકાસ થયા છતાં તેનાથી ભારતીય જીવનને કશા લાભ થયા નથી. ઊલટુ તે આચરણની દુનિયામાં ફસાઈ છિન્નભિન્ન થઈ ગયું છે. આ એક જ દાખલા તત્ત્વજ્ઞાન અને ધની દિશા એક હાવાની જરૂરિયાત સિદ્ધ કરવા માટે પૂરતા છે.
વ્યાપ્યા છતાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org