SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ મીસરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા ( ૧૯૭ થવા યોગ્ય છે. પણ હજી સુધી મેન્ટરી શિક્ષણ પદ્ધતિનું ઊતરતા પણું સાબિત કરી શકાયું નથી; એટલું જ નહિ, પણ દિવસે દિવસે વિચારકવર્ગમાં તેના ચઢિયાતાપણા વિશે ચોકકસ અભિપ્રાય બંધાતું જાય છે અને તેના નિઃસ્વાર્થ તથા પ્રામાણિક પ્રયોગકર્તાએ તે બીજી કઈ પણ શિક્ષણ પદ્ધતિ કરતાં તેને વધારે શાસ્ત્રીય અને વધારે સ્વાભાવિક માને છે. હજી એ પદ્ધતિના પ્રયોગકર્તાઓ કરતાં વધારે અનુભવ ધરાવનાર બીજો કોઈ પણ એ પદ્ધતિનું ઊતરતાપણું સાબિત કરી શક્યો નથી. તેથી બહુ ખર્ચાળપણના આરેપને વિચાર બીજા વિકલ્પને સ્વીકારીને જ કરવો ઘટે છે. મેન્ટરી શિક્ષણ પદ્ધતિની પાછળ જે શાસ્ત્રીયતા અને સાહજિકતાનું બળ છે તે જ તે પદ્ધતિના બીજી બધી પદ્ધતિઓ કરતાં ચઢિયાતાપણાની સાબિતી છે. એ પદ્ધતિના પ્રયોગ, અનુભવ અને નિયમોનો વિચાર કરતાં અને તે તેના ચઢિયાતાપણું વિશે જરાયે શક નથી. તેથી જે પ્રારંભમાં આ પદ્ધતિના અખતરામાં બહુ ખર્ચાળપણું હોય અને છે, તેય તે જાણીબૂઝીને ચલાવી લેવું એ જ સંસ્કારી પ્રજા તૈયાર કરવાને માટે ય છે. આપણે પ્રચલિત સરકારી પદ્ધતિનાં ઓછાં અને માઠાં પરિણામે અનુભવીએ છીએ તથા તેનું ખર્ચાળપણું પણ જાણીએ છીએ. એ પદ્ધતિથી શિક્ષણ લેનારનાં શરીર અને મન બળવાન થવાને બદલે કેટલાં નિર્માલ્ય અને હતપ્રભ થઈ જાય છે, સરકારી શિક્ષણ આપવા જતાં માબાપનાં ઘર કેટલાં ખાલી થઈ જાય છે, તેઓ કેટલાં દેવાદાર થઈ જાય છે અને છતાંયે તે શિક્ષણ લેનાર સો પૈકી કેટલા જણ પિતાને અને પિતાની પાછળ આશા રાખી બેઠેલાને નિશ્ચિત્ત કરે છે, એ પ્રશ્નોના ઉત્તર હવે સૌ કોઈ જાણે છે. તેમ છતાં એવી નિર્માલ્ય અને ગુલામીપષક પદ્ધતિમાં ગણ્યાગાંઠ્યાં કેઈ આગળ વધે છે. એ જ પ્રલેભનમાં આપણી આખી પ્રજા સંડોવાયેલી છે અને તેથી તે નિષ્ફળ પદ્ધતિમાં બહુ ખર્ચાળપણું હેવા છતાં પણ પ્રજા તેને નભાવી લે છે. . આથી ઊલટું, મોન્ટીસોરી પદ્ધતિમાં સ્વાભાવિકતા હેઈ બાળકોનાં આત્મા, મન અને વાણી એ ત્રણે વ્યવસ્થિત રીતે ખીલે એવી યોજના છે. આ યોજના પ્રમાણે શિક્ષણ લેવા જનારને મોટામાં મોટું પ્રલોભન સરકારી પ્રતિષ્ઠા નહિ, પણ સર્વાગીણ વિકાસ એ છે. જો આ પદ્ધતિના પ્રયોગ વિચારશીલ અને ધશાળી વ્યક્તિઓને હાથે ચેડાં વર્ષ અવિચ્છિન્ન ચાલે તે તેનાં પરિણામ લેક સમક્ષ આવે, અને પરિણામ સામે આવતાં વાતાવરણ તે પ્રદ્ધતિને અનુકુળ થાય. એકવાર એન્ટીસેરી પદ્ધતિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy