________________
૧૯૬]
દર્શન અને ચિંતન છે, અને પછી તે પિતાના બીજા શક્ય અને પસંદગીના વિષયમાં પણ જોઈતું બળ મેળવી શકતો નથી. દરેક વ્યક્તિમાં ઉત્સાહ એ જ ખરે પ્રાણ છે. ઉત્સાહને હરીફાઈ દ્વારા જગાડે તેમાં લાભ કરતાં જોખમ ઓછું તે નથી જ. દરેક બાળકની દરેક વિષય પરત્વે શક્તિ સરખી હોતી નથી. વૃત્તિ પણ જુદી જુદી હોય છે. તેથી પ્રત્યવાય વિનાનું તદ્દન અનુકૂળ વાતાવરણ ઊભું કરી પોતપોતાની વૃત્તિ પ્રમાણે બાળકને શક્તિ ખીલવવાની તક મળે. તે તેઓને ઉત્સાહ, કૂવામાં પાણીની સેરે ઝરે તેમ, આપોઆપ પોતપોતાની પસંદગીના વિષયમાં ઝરે છે અને ક્રમશઃ વધે છે. આ સ્વાભાવિક ક્રમથી બે લાભ થાય છે. દરેક બાળકને પિતાની રુચિ પ્રમાણે પોતામાં રહેલી વિશિષ્ટ શક્તિ ખિલવવાની તક મળતી હોવાથી પોતાનું વ્યક્તિત્વ સાધવાનો અવસર મળે છે અને જે વિષ્ણુની શક્તિ કે રુચિ ન હોય તે વિષયમાં જરા પણ વ્યર્થ શક્તિ કે સમય ન ખર્ચાવાથી તેને આત્મા સતત તેજસ્વી અને ઉત્સાહમય રહે છે. ફરજિયાત હરીફાઈના ઘેરણમાં જે વિષયની શક્તિ કે રુચિ ન હોય તેમાં બાળકો નિચોવાઈ જાય છે, અને તેથી આવેલી નિર્બળતા પિતાની પસંદગીના વિષયમાં પણ દેડતા બાળકને કાંઈક ખલિત કરે જ છે. ' ફરજિયાત હરીફાઈથી જ્ઞાનવૃદ્ધિ કોઈ કોઈ વ્યક્તિને થઈ હોય અને થાય છે એ વાત માની લઈએ, તોપણ તે હરીફાઈની પાછળ કેટલાંક એવાં અનિષ્ટ ત રહેલાં છે કે જે શિક્ષણ લેનારમાં ઘુસી જવાથી તેના આત્માને શિક્ષણથી મળેલા પ્રકાશ કરતાં પણ વધારે અંધકાર અર્પે છે. એ અનિષ્ટ તમાં કાંઈ મળવાનું પ્રલેભન અને નામના એ બે મુખ્ય છે. આ બે
અનિષ્ટ તત્તમાંથી (જે શિક્ષણ લેનારનો આત્મા નિર્બળ હોય તો) ઈર્ષો અને અદેખાઈ જન્મે છે, અને એ અદેખાઈ જિન્દગીના છેડા સુધી આત્માને કેરી ખાય છે. તેથી મારા વિચાર પ્રમાણે મેન્ટરી શિક્ષણપદ્ધતિમાં ફરજિયાત હરીફાઈને તિલાંજલિ દેવામાં આવી છે તે, એ પદ્ધતિની ઈચ્છવાલાયક વિશિષ્ટતા છે.
' હવે અતિ ખર્ચાળપણના આરોપનો વિચાર કરીએ. આ આપને વિચાર કરતાં બે પ્રશ્નો ઉદ્ભવે છે. તે એ કે એન્ટીસારી શિક્ષણ પદ્ધતિ એ બીજી શિક્ષણ પદ્ધતિ કરતાં ઊતરતા પ્રકારની છે કે બીજી પદ્ધતિઓની સમકક્ષ કે તેઓથી ચઢિયાતા પ્રકારની છે ? જે બહુ ખર્ચાળપણ સિવાયની બીજી કઈ કસોટી દ્વારા મેન્ટરી શિક્ષણ પદ્ધતિ ઇતર પદ્ધતિઓ કરતાં ઊતરતા પ્રકારની સાબિત કરી શકાય તે તે ઊતરતાપણાને લીધે જ મરણને શરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org